પંજાબઃ જેલ અધિકારીઓએ કેદીની પીઠ પર ગરમ સળિયાથી લખ્યુ આતંકવાદી, સરકારે આપ્યા તપાસના આદેશ
પંજાબના બરનાલામાં એક કેદીને જેલ અધિકારીઓએ કથિત રીતે ગરમ સળિયાથી માર્યો અને તેની પીઠ પર આતંકવાદી લખી દીધુ.
ચંદીગઢઃ પંજાબના બરનાલામાં એક કેદીને જેલ અધિકારીઓએ કથિત રીતે ગરમ સળિયાથી માર્યો અને તેની પીઠ પર આતંકવાદી લખી દીધુ. કેદીની પીઠના જે ફોટા સામે આવ્યા છે તે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ ગયા છે. પીડિતે કેસની ફરિયાદ જજને કરી છે. પંજાબ સરકારે કેસની તપાસના આદેશ આપ્યા છે. વળી, વિપક્ષી શિરોમણિ અકાલી દળે આ અંગે પંજાબની સરકારને આકરા સવાલો કર્યા છે.

બરનાલા જેલમાં 28 વર્ષનો કરમજીત સિંહ નશા તસ્કરીના એક કેસમાં બંધ છે. તેને મનસામાં અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કરમજીતે જજ સામે કહ્યુ કે જેલમાં કેદીઓ સાથે અમાનવીય વર્તન થઈ રહ્યુ છે. તેણે શર્ટ ઉતારીને પોતાની પીઠ બતાવીને કહ્યુ કે ગરમ સળિયાથી તેના શરીર પર આતંકવાદી લખી દેવામાં આવ્યુ છે. સાથે જ જણાવ્યુ કે એઈડ્સ અને હિપેટાઈટિસથી પીડિત લોકોને અલગ વૉર્ડમાં રાખવામાં આવતા નથી.
પંજાબ સરકારના તપાસના આદેશ
કરમજીતની પીઠના ફોટા આવ્યા બાદ આ કેસ ચર્ચામાં આવી ગયો. પંજાબના ઉપમુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ આ કેસમાં તપાસના આદેશ આપ્યા છે. રંધાવાએ એડીજીપી(જેલ) પીકે સિન્હાને કેસની ગંભીરતાથી તપાસ કરવાના અને કેદીની મેડિકલ તપાસ કરવાના આદેશ આપ્યા છે. વરિષ્ઠ અધિકારી તજિંદર સિંહ મૌર, ડીઆઈજી(ફિરોઝપુર)ને તપાસ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે. કર્મજીતના વકીલે જણાવ્યુ છે કે અદાલતે બરનાલાના સીજેએમ-કમ-જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે કેસની તપાસના આદેશ આપી દીધા છે.
અકાલી દળના નેતાનુ કોંગ્રેસ પર નિશાન
અકાલી દળના નેતા મનજિંદર સિરસાએ કેદીની પીઠના ફોટા ટ્વિટર પર શેર કર્યા છે. તેમણે ફોટા શેર કરીને લખ્યુ - આ સિખોને આતંકવાદી તરીકે ચિત્રિત કરવાની મંશા છે. પંજાબ પોલિસે વિચારાધીન સિખ કેદીને માર્યો અને તેની પીઠ પર અત્તવાદી(આતંકવાદી) લખ્યુ છે. અમે જેલ અધિક્ષકને તત્કાલ સસ્પેન્ડ કરવા અને માનવાધિકારોના ઉલ્લંઘન માટે કડક કાર્યવાહીની માંગ કરી છે.
Malicious intent of @INCPunjab gov to paint Sikhs as Terrorists!@PunjabPoliceInd beats undertrial Sikh prisoner & engraved word ‘Atwadi’ on his back
— Manjinder Singh Sirsa (@mssirsa) November 3, 2021
We demand immed suspension of Jail Superintendent & strict action for Human Rights violation@CHARANJITCHANNI @Sukhjinder_INC @ANI pic.twitter.com/kIi4aqHR9z
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
