Punjab News : માન સરકાર પંજાબને બનાવશે રંગલા પંજાબ, બેઠકમાં લેવાયો નિર્ણય
Punjab News : પંજાબમાં જ્યારથી આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી ભગવંત માનના નેતૃત્વમાં આપ સરકાર જનતા માટે ઉમદા કામગીરી કરી રહી છે. તાજેતરમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આગામી સમયમાં પંજાબમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના આશયથી આ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભગવંત માને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટર પર લખ્યું હતું કે, આજે પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં પંજાબમાં પ્રવાસનને પ્રોત્સાહિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કર્યું હતું કે, ટૂંક સમયમાં પંજાબમાં અલગ-અલગ રીતે અને અલગ-અલગ સ્થળોએ પ્રવાસ મેળાઓનું આયોજન કરવામાં આવશે, જેથી પંજાબના લોકોને પંજાબની સંસ્કૃતિ, વારસો અને ખોરાકની ઝલક મળી શકે અને આ મેળા આખું વર્ષ અલગ અલગ શહેરોમાં ચાલશે. અમે ખરેખર લોકોને રંગલા પંજાબ બતાવીશું.












Click it and Unblock the Notifications
