Punjab News: CM માન સરકારની ઉપલ્બ્ધી, AQIમાં થયો મોટો સુધારો
Punjab News: પંજાબની આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, પંજાબ રાજ્યની હવાની ગુણવત્તા સૂચકાંકમાં ઘણો સુધારો થયો છે. હવાની ગુણવત્તા 2021 થી 22.8 ટકા અને 2022 થી 7.6 ટકા ઘટી છે.
આ વખતે દિવાળીની રાતથી સવાર સુધી હવાની ગુણવત્તા સૂચકાંક (207) હતો, જે 2021માં (268) અને 2022માં (224) હતો. ભગવંત માન સરકાર માટે આ ખૂબ જ ગર્વની વાત છે. આ પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું વાયુ પ્રદૂષણને લઈને નિવેદન પણ સામે આવ્યું છે.

પંજાબના CM ભગવંત માને કહ્યું કે, અમે પ્રદૂષણ રોકવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ, અમે બેઠકો કરી રહ્યા છીએ. અમે સ્ટબલના આગામી કન્સાઇનમેન્ટ માટે બેઠકો પણ શરૂ કરી દીધી છે.
મુખ્યમંત્રી ભગવંત માને શુક્રવારના રોજ 10 નવેમ્બરે વાયુ પ્રદૂષણ પર મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે, અમે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમે કોર્ટ સમક્ષ લેખિતમાં માંગ કરી છે કે, અન્ય પાક માટે પણ MSP આપવામાં આવે.
CM માને કહ્યું કે, અમારી જમીન એટલી ફળદ્રુપ છે કે, અમે સૂર્યમુખી, મકાઈ અને કઠોળ પણ ઉગાડીશું. આ જવાબદારી માત્ર સરકારની નથી, પરંતુ દરેક પંજાબીની છે. તો ગઈરાત્રે પડેલા વરસાદ બાદ શુક્રવારના રોજ વાયુ પ્રદૂષણની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો અને AQI પણ ઘટ્યો હતો. આ પહેલા 7 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણના મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવી ઝેરી હવા લોકોના સ્વાસ્થ્યને મારવા માટે જવાબદાર છે. કોર્ટે દિલ્હી, પંજાબ, હરિયાણા, યુપી અને રાજસ્થાનની સરકારોને જણાવ્યું છે કે, તેઓ કેન્દ્ર સરકાર સાથે તાત્કાલિક ખેતરોમાં આગ કેવી રીતે રોકી શકાય એ અંગે ચર્ચા કરે.












Click it and Unblock the Notifications
