પંજાબઃ માન સરકારનો બાસમતી ચોખાને લઈને મોટો નિર્ણય, 10 જંતુનાશકો પર લગાવ્યા પ્રતિબંધ
મુખ્યમંત્રી ભગવંત માન સરકારે બાસમતી ચોખાને લઈને જંતુનાશકો પર પ્રતિબંધ મૂકવાની સૂચનાઓ જાહેર કરી છે.
ચંદીગઢઃ મુખ્યમંત્રી ભગવંત માન સરકારે બાસમતી ચોખાની નિકાસને અવરોધતા અમુક જંતુનાશકોના વેચાણ, સંગ્રહ, વિતરણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની સૂચનાઓ જાહેર કરી છે. કૃષિ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે અગાઉથી જ કૃષિ વિભાગના અધિકારીઓને નકલી અને બિન-માનક જંતુનાશકોના વેચાણ પર નજર રાખવા જણાવ્યુ હતુ. આ સાથે આવા મામલામાં જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી હતી. તેમણે કહ્યુ કે બાસમતી ચોખાની ગુણવત્તા સુધારવા માટે ખેડૂતોની તરફેણમાં આ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

આ અંગે માહિતી આપતાં કૃષિ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે જણાવ્યુ હતુ કે પ્રતિબંધિત જંતુનાશકોનો ઉપયોગ બાસમતી ચોખા ઉત્પાદકોના હિતમાં ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસેફેટ, બ્યુપ્રોફેઝીન, ક્લોરોપીરીફોસ, મેથામિડોફોસ, પ્રોપીકોનાઝોલ, થિયામેથોક્સમ, પ્રોફેનોફોસ, આઈસોપ્રોથિઓલેન, કાર્બેન્ડાઝીમ ટ્રાઈસાયક્લોઆઝોલ જેવા આ જંતુનાશકોની ખરાબ અસર ચોખા પર થઈ રહી હતી. બાસમતી ચોખાની નિકાસ અને વપરાશમાં પણ આ અવરોધો બની રહ્યા હતા.
ધાલીવાલે વધુમાં જણાવ્યુ હતુ કે ઉપરોક્ત જંતુનાશકોને પંજાબમાં 60 દિવસની સમય મર્યાદા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે જેથી કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા બાસમતી ચોખાનુ ઉત્પાદન કોઈપણ અવશેષ વિના કરી શકાય. નિષ્ણાતોના મતે આ કૃષિ રસાયણોના ઉપયોગને કારણે બાસમતી ચોખામાં જંતુનાશક અવશેષો સક્ષમ અધિકારી દ્વારા નિર્ધારિત મેક્સિયમ રેસિડ્યુઅલ લેવલ (MRL) કરતાં વધી જવાનો ભય છે. પંજાબ રાઇસ મિલ્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશન દ્વારા એવુ પણ જાણવા મળ્યુ છે કે તેમના દ્વારા પરીક્ષણ કરાયેલા ઘણા નમૂનાઓમાં અવશેષનુ મૂલ્ય બાસમતી ચોખામાં MRL નિર્ધારિત જથ્થા કરતાં ઘણુ વધારે હોવાનુ જાણવા મળ્યુ છે.
નોંધનીય છે કે એસોસિએશને પંજાબની હેરિટેજ બાસમતી પેદાશોને બચાવવા અને અન્ય દેશોમાં બાસમતી ચોખાની નિકાસ કરવા માટે આ કૃષિ રસાયણો પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી હતી. જો કે, પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (PAU) લુધિયાણાએ બાસમતી ચોખાની જીવાતોને નિયંત્રિત કરવા માટે ઓછા અવશેષો ધરાવતા ખેતી રસાયણોની ભલામણ કરી છે જે બજારમાં ઉપલબ્ધ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
