અમૃતપાલ સિંહ સામે મોટી કાર્યવાહી, પંજાબ સરકારે લગાવ્યો NSA, હાઈકોર્ટે ઈન્ટેલિજન્સ નિષ્ફળતા ગણાવી
ખાલિસ્તાન તરફી સંગઠન વારિસ પંજાબ દેનો ચીફ અમૃતપાલ સિંહ હાલ ફરાર છે. પોલીસ તેની શોધખોળમાં લાગેલી છે. આ દરમિયાન આજે અમૃતપાલ વિરુદ્ધ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખાલિસ્તાન સમર્થક સંગઠન 'વારિસ પંજાબ દે'ના વડા અમૃતપાલ સિંહ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. વાસ્તવમાં પંજાબ સરકારે અમૃતપાલ સિંહ વિરુદ્ધ નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) લગાવ્યો છે. આ કાયદાના અમલ બાદ સરકાર હવે વધુ કડક કાર્યવાહી કરશે. તમને જણાવી દઈએ કે ખાલિસ્તાની ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા અને પંજાબમાં વાતાવરણ બગાડવા બદલ અમૃતપાલ સિંહ પર કાર્યવાહી કરવા માટે પોલીસ તેની શોધમાં ઝંપલાવી રહી છે. જોકે અમૃતપાલ હજુ સુધી પોલીસના હાથે ઝડપાયો નથી પરંતુ પોલીસના પ્રયાસો ચાલુ છે.

હાઈકોર્ટે પંજાબ સરકારને ફટકાર લગાવી
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ એડવોકેટ ઈમાન સિંહ ખારા દ્વારા દાખલ કરાયેલ હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં અમૃતપાલ સિંહને કથિત પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. જ્યારે જસ્ટિસ એન.એસ. શેખાવતે પંજાબના એડવોકેટ જનરલ વિનોદ ઘાઈને પૂછ્યું કે જ્યારે સમગ્ર ઑપરેશન સારી રીતે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમૃતપાલ સિંહે પોલીસને કેવી રીતે ચકમો આપ્યો અને તેને ઈન્ટેલિજન્સ નિષ્ફળતા ગણાવી.

અમૃતપાલ ફરાર થયો હતો તે કાર પોલીસના હાથે લાગી
પંજાબ પોલીસના આઈજીપી સુખચૈન સિંહ ગિલે કહ્યું કે મારુતિ સુઝુકી બ્રેઝા જેમાં અમૃતપાલ ભાગી ગયો હતો તેને પોલીસે જપ્ત કરી લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર અમૃતપાલને ભાગવામાં 4 લોકોએ મદદ કરી હતી. આ ચારેય વિરૂદ્ધ આર્મ્સ એક્ટની અરજી કરવામાં આવી છે.

રાસુકા (NSA) શું છે?
ઈન્દિરા ગાંધીની સરકાર દરમિયાન 23 સપ્ટેમ્બર 1980ના રોજ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) અથવા રાસુકા અમલમાં આવ્યો હતો. આ કાયદો રાજ્ય અને કેન્દ્ર સરકારને એવી વ્યક્તિની અટકાયત કરવાની સત્તા આપે છે જે રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે. નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) એ જોગવાઈ કરે છે કે સરકાર શંકાસ્પદ વ્યક્તિને 12 મહિના સુધી કોઈ આરોપ વિના અટકાયતમાં રાખી શકે છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
