ખેડૂત આંદોલનઃ દિલ્લી ટ્રેક્ટર રેલી હિંસામાં ધરપકડ કરાયેલ દરેક પ્રદર્શનકારીને 2 લાખ રૂપિયા આપશે પંજાબ સરકાર
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની દિલ્લી ટ્રેક્ટર રેલી હિંસામાં ધરપકડ કરાયેલ દરેક પ્રદર્શનકારીને 2 લાખ રૂપિયા આપશે.
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શુક્રવારે(12 નવેમ્બર) 26 જાન્યુઆરીએ દિલ્લીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ દિલ્લી પોલિસ દ્વારા ધરપકડ કરાયેલા 83 લોકોને વળતર તરીકે 2 લાખ રુપિયા આપવાની ઘોષણા કરી. પંજાબ સરકારના આ નિર્ણય બાદ કેન્દ્ર સરકાર અને પંજાબ સરકારમાં વિવાદ ઉભો થઈ શકે છે. પંજાબ સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યુ, 'ત્રણ કાળા કૃષિ કાયદા સામે ચાલી રહેલ ખેડૂત આંદોલનનુ સમર્થન કરવા માટે મારી સરકારના વલણનુ પુનરાવર્તન કરીને, અમે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં ટ્રેક્ટર રેલી કરવા માટે દિલ્લી પોલિસ દ્વારા ધરપકડ કરાયેલા 83 લોકોને 2 લાખ રુપિયાનુ વળતર આપવાનો નિર્ણય કર્યો છે.'

26 જાન્યુઆરી, 2021એ પ્રદર્શનકારીઓને નવી દિલ્લીમાં પ્રવેશ કરવા માટે બેરિકેડ્ઝ તોડી દીધા અને 26 જાન્યુઆરીએ ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલીના વિરોધ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં પોલિસ સાથે ભિડાઈ ગયા હતા. ત્યારબાદ દિલ્લી પોલિસે કાર્યવાહી કરીને 83 લોકોની ધરપકડ કરી હતી અને ઘણાઓ પર કેસ પણ નોંધવામાં આવ્યો છે.
ખેડૂત આંદોલન સાથે જોડાયેલા પ્રદર્શનકારીઓએ દિલ્લીમાં સ્થિત મુઘલ કાળના પ્રતિષ્ઠિત સ્મારક લાલ કિલ્લામાં પણ રેલી દરમિયાન 26 જાન્યુઆરી, 2021ના રોજ પ્રવેશ કર્યો હતો અને તેની પ્રાચીર પરથી પોતાના ઝંડા લહેરાવ્યા હતા. લાલ કિલ્લાના અમુક ભાગોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ખેડૂતો ત્રણ નવા અધિનિયમિત કૃષિ કાયદા સામે ગયા વર્ષે 26 નવેમ્બરથી રાષ્ટ્રીય રાજધાની દિલ્લીની વિવિધ સીમાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત નેતાઓ અને કેન્દ્રએ નવા દોરની વાતચીત કરી છે પરંતુ વિરોધ ચાલુ છે.
ખેડૂત આંદોલનમાં શામેલ ખેડૂત કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમમાં છે. તે ત્રણ કૃષિ કાયદા છે - ખેડૂત ઉપજ વેપાર અને વાણિજ્ય(સંવર્ધન અને સુવિધા) અધિનિયમ, 2020, ખેડૂત અધિકારિતા અને સંરક્ષણ(મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા) અધિનિયમ 2020 અને જરૂરી વસ્તુ(સુધારા) અધિનિયમ, 2020.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
