શેરડી પકવતા ખેડૂતોની મદદે પંજાબ સરકાર, હવે એક મહિનામાં ચૂકવણી કરવા વ્યવસ્થા કરશે!
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદા ખેડૂતો માટે સતત મોટા પગલા ભરાઈ રહ્યા છે. હવે પંજાબ સરકાર શેરડી પકવતા ખેડૂતોની મદદે આવી છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદા ખેડૂતો માટે સતત મોટા પગલા ભરાઈ રહ્યા છે. હવે પંજાબ સરકાર શેરડી પકવતા ખેડૂતોની મદદે આવી છે. મળતી વિગતો અનુસાર, પંજાબ સરકાર એક મહિનામાં શેરડીના રૂપિયા મળી જાય તેવી વ્યવસ્થા કરવા જઈ રહી છે.

આ મુદ્દે વાત કરતા પંજાબ સરકારના મંત્રી કુલદીપ ધાલીવાલે કહ્યું કે, પંજાબની સુગર મિલોમાં શેરડી લાવનારા ખેડૂતોને એક મહિનામાં ચૂકવણી કરવાનું સુનિશ્ચિત કરાશે. કુલદીપ ધાલીવાલ સુગર મિલ અજનાલાના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા અને તેમને અહીં આ વાત કરી હતી.
આ કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યુ કે, સુગર મિલોમાંથી નીકળતા દરેક વેસ્ટ મટિરિયલનો ઉપયોગ કરવાની જરૂર છે અને આ માટે મિલોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, કો-જનરેશન પ્લાન્ટ્સ સ્થાપવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, સહકારી ક્ષેત્રની સુગર મિલોને નફાકારક બનાવવા સરકાર ખંતપૂર્વક કામ કરી રહી છે અને માર્ચ-એપ્રિલ સુધી ખેડૂતની શેરડી ખેતરમાં ન રહે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે.
કુલદીપ ધાલીવાલે આગળ કહ્યું કે, પંજાબ સરકાર દ્વારા સહકારી સુગર મિલો પર ખેડૂતોના કરોડો લેણાંની ચુકવણી કરવામાં આવી છે અને હાલમાં સહકારી સુગર મિલો પર ખેડૂતોનો એક પૈસો પણ બાકી નથી. ધાલીવાલે સ્પષ્ટ કર્યું કે, મુખ્યમંત્રી ભગવંત માન કિરસાણી મિલ્કફેડ અને સુગરફેડને નફાકારક બનાવવા માટે પુનઃજીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને બંને સંસ્થાઓનું મોટા પાયે વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
તેમણે આ પ્રસંગે અગાઉ શેરડી લાવનાર શેરડીના માલિકોનું પણ સન્માન કર્યું હતું. ધાલીવાલે સીઝનની શરૂઆત માટે મિલ પરિસરમાં રાખવામાં આવેલા શ્રી અખંડ પાઠ સાહેબના પાઠમાં ભાગ લઈને ખેડૂતો અને કામદારોની સલામતી માટે પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું કે મિલના નિર્માણ માટે લગભગ 1.25 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે અને તેના પર ટૂંક સમયમાં કામ શરૂ થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
