જિંદગીઓ બચાવનાર લોકોને જીવનરક્ષા પદકોથી સમ્માનિત કરશે માન સરકાર, પંજાબમાં શરુ થયુ આ અભિયાન
જિંદગીઓ બચાવનારા લોકોને ભગવંત માન સરકાર જીવનરક્ષા પદકોથી સમ્માનિત કરશે.
નવાંશહરઃ જિંદગીઓ બચાવનારા લોકોને ભગવંત માન સરકાર જીવનરક્ષા પદકોથી સમ્માનિત કરશે. આના માટે એક પહેલ શરુ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે રાજ્યના બધા ડીઈઓ(સેકન્ડરી અને પ્રાઈમરી)ને પત્ર લખીને પોત-પોતાના જિલ્લાઓમાં આવા લોકોને શોધીને તેમની માહિતી માંગી છે. ડીઈઓને કહેવામાં આવ્યુ છે કે તે પોતાના જિલ્લામાં આવા લોકોની માહિતી એકઠી કરીને કોઈ પણ સ્થિતિમાં 25 ઓગસ્ટ પહેલા વિભાગને મોકલે.

સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે, 'જો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય અને તમે તેનો જીવ બચાવવામાં મદદ કરી હોય તો આવા કિસ્સાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા જીવન રક્ષા પદક એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. સર્વોત્તમ જીવન રક્ષા પદક, ઉત્તમ જીવન રક્ષા પદક અને જીવન રક્ષા પદક છે. આ પુરસ્કાર કોઈનો જીવ બચાવવા માટે મરણોત્તર પણ આપી શકાય છે. પંજાબમાં એવા ઘણા લોકો છે જેમણે બીજાના જીવ બચાવ્યા છે. રાજ્ય સરકાર જીવન રક્ષા પદક દ્વારા આવા લોકોનુ સન્માન કરશે.'
સરકાર તરફથી એમ પણ કહેવામાં આવ્યુ છે કે જે લોકોએ જીવ બચાવ્યા છે તેઓ www.awards.gov.in પર જઈને ઓનલાઈન મોડમાં અરજી કરી શકે છે. તેમના સાહસિક કાર્યોની માહિતી વધુમાં વધુ 200 શબ્દોમાં આપવાની રહેશે. જેમાં પ્રભાવિત વ્યક્તિ અને તેની મદદ કરનાર વ્યક્તિની પણ માહિતી આપવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યુ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 25 ઓગસ્ટ પહેલા 2022 માટે જીવન રક્ષા પદક પુરસ્કાર માટે અરજીઓ માંગી છે.
સરકારી પ્રવક્તાએ કહ્યુ કે જીવન રક્ષા પુરસ્કાર અશોક ચક્રની એક શાખા છે. તેમણે કહ્યુ કે જીવન રક્ષા પદક એવા લોકોને આપવામાં આવે છે જેઓ ડૂબવાથી, અકસ્માતના કેસ, આગની ઘટનાઓ, વીજળી પડવાથી લોકોને બચાવવામાં મદદ કરે છે. સરકારે ડીઈઓ સહિત તમામ સરકારી વિભાગોના વડા સહિત તમામ ડીસીને પત્ર પાઠવ્યો છે. આ માટે ઈચ્છુક લોકોએ ભલામણ કરતા પહેલા લૉગ-ઈન આઈડી અને પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે. જેમની પાસે પહેલાથી જ લૉગ-ઈન આઈડી અને પાસવર્ડ છે તેઓ સીધા જ પોર્ટલને એક્સેસ કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
