પંજાબઃ માન સરકારે કર્મચારીઓની પ્રમોશન સંબંધિત લાંબા સમયની પડતર માંગણીઓ કરી પૂરીઃ મંત્રી કૌર
મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે પ્રમોશન અંગે કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓ પૂરી કરી છે.
ચંદીગઢઃ મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વવાળી પંજાબની આપ સરકારે હાલમાં જ તેમની સરકારના સાત મહિનાનુ રિપોર્ટ કાર્ડ રજૂ કર્યુ હતુ. સામાજિક સુરક્ષા, મહિલા તેમજ બાળ વિકાસ વિભાગ મંત્રી ડૉ. બલજીત કૌરે કહ્યુ કે સામાજિક સુરક્ષા, મહિલા તેમજ બાળ વિકાસ વિભાગના 31 જૂનિયર સહાયકોને પ્રમોશનની ભેટ આપીને સીનિયર સહાયક બનાવી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે પ્રમોશન અંગે કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓ પૂરી કરી છે.

આ પ્રસંગે બઢતી પામેલા કર્મચારીઓને અભિનંદન આપતાં બલજીત કૌરે તેમને સમર્પણ અને ઇમાનદારી સાથે કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા અને કહ્યુ કે આ વિભાગ સમાજના વિવિધ વર્ગોના ભલા માટે કામ કરે છે. તેથી કર્મચારીઓની પણ ફરજ છે કે તેઓ હંમેશા સેવાની ભાવના સાથે પોતાની ફરજ બજાવે.
ડૉ.બલજીત કૌરે જણાવ્યુ હતુ કે વર્તમાન સરકાર ઈમાનદારીના પાયા પર બનેલી છે. તેથી તે સૌથી વધુ જરૂરી છે કે લોકો સુધી આ સંદેશ પહોંચે કે વિભાગના કર્મચારીઓ ઈમાનદારીથી કામ કરે છે અને લોકોને સમયમર્યાદામાં સેવાઓ પૂરી પાડે છે. ઉલ્લેખનીય છે કે વિભાગમાં બઢતી પામેલા 31 વરિષ્ઠ સહાયકોમાંથી 3 અનુસૂચિત શ્રેણીના છે અને 2 વિકલાંગ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
