માનહાનિનો કેસ રદ કરાવવા માટે પ્રિયા રમાનીએ કોર્ટમાં કરી અરજી, એમજે અકબરે લગાવ્યા હતા આરોપ
પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર દ્વારા માનહાનિ મામલે દોષી ગણવામાં આવેલી પત્રકાર પ્રિયા રમાનીએ કોર્ટમાં પોતાના પરથી આરોપ હટાવવા માટે અરજી દાખલ કરી છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર દ્વારા માનહાનિ મામલે દોષી ગણવામાં આવેલી પત્રકાર પ્રિયા રમાનીએ કોર્ટમાં પોતાના પરથી આરોપ હટાવવા માટે અરજી દાખલ કરી છે. વાસ્તવમાં મી ટુ અભિયાન હેઠળ રમાનીએ એમ જે અકબર પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ અકબરે રમાની પર માનહાનિનો કેસ કરી દીધો હતો. ગઈ 25 ફેબ્રુઆરીના રોજ રમાનીને 10,000ના દંડ સાથે જામીન આપવામાં આવ્યા હતા. સાથે તેમને બુધવારે કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યુ હતુ. રમાનીએ કહ્યુ કે આવતી વખતે જ્યારે 10 એપ્રિલના રોજ કોર્ટ મારા સામે ચાર્જ ફ્રેમ કરશે ત્યારબાદ કહાની સંભળાવવાનો વારો મારો હશે. મારો બચાવ મારી સચ્ચાઈ હશે. રમાની તરફથી વરિષ્ઠ વકીલ રેબેકા જૉને એમ જે અકબરના ન પહોંચવા પર સવાલ ઉઠાવ્યા.

એમ જે અકબરે કોર્ટમાં કહ્યુ હતુ કે રમાની દ્વારા લગાવવામાં આવેલા ખોટા આરોપોથી સમાજમાં તેમના માન સમ્માનમાં ઠેસ પહોંચી છે. તેમણે કહ્યુ કે મે 40 વર્ષોમાં કમાયેલી ઈજ્જત પ્રિયાના આરોપોએ ધૂળમાં મળી ગઈ છે. તેમણે કહ્યુ કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે છપાયેલા લેખોમાં પ્રિયાના ટ્વીટ છાપવામાં આવ્યા. આનાથી માનહાનિ સાબિત થાય છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર પર ઘણી મહિલા પત્રકારોએ મી ટુ અભિયાન હેઠળ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જો કે અકબરે બધા આરોપોને ખોટા ગણાવી દીધા હતા પરંતુ આ બધા વિવાદમાં ફસાવાને કારણે તેમણે 2018ના ઓક્ટોબરમાં રાજ્યમંત્રી પદેથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ.
1989 લોકસભા ચૂંટણી પહેલા એમ જે અકબરે જર્નાલિઝમ છોડીને રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો હતો. અકબરે બિહારના કિશનગંજથી કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી હતી જે તે જીતી પણ ગયા હતા. રાજીવ ગાંધીના પ્રવકતા હતા પરંતુ તે ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સારુ નહોતુ રહ્યુ. જો કે એમ જે અકબરની સ્થિતિ પાર્ટીમાં મજબૂત હતી. રાજીવ ગાંધીની તે ઘણા નજીક હતા એટલા માટે એમ જે અકબરનો મોબો હંમેશા જળવાઈ રહ્યો. 1991 રાજીવ ગાંધીની હત્ય થઈ ગઈ. રાજીવ ગાંધી બાદ અકબર રાજકારણમાં અસહજ અનુભવવા લાગ્યા અને 1992 કોંગ્રેસ પાર્ટી છોડીને પાછા પત્રકારત્વમાં જોડાઈ ગયા. 2014માં તે ભાજપ સાથે જોડાયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
