પીએમ મોદી બિમ્સટેક સમિટમાં ભાગ લેવા માટે નેપાળ રવાના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય નેપાળ યાત્રા પર આજે રવાના થયા છે. તેઓ ત્યાં યોજાનાર 14 માં બિમસ્ટેક સમિટમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય નેપાળ યાત્રા પર આજે રવાના થયા છે. તેઓ ત્યાં યોજાનાર 14 માં બિમસ્ટેક સમિટમાં ભાગ લેશે. આ સંમેલન નેપાળના કાઠમંડુમાં આયોજિત કરવામાં આવી રહ્યુ છે. પીએમ મોદી બે ઓફ બંગાલ ઈનીશિએટીવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો ઓપરેશનની બેઠકમાં તમામ મુદ્દાઓ પર વાત કરશે. આ સમિટમાં આતંકવાદ, સુરક્ષાના વિવિધ પરિમાણો, ડ્રગ્ઝની હેરાફેરી, સાઈબર ક્રાઈમ, કારોબાર સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

પીએમ મોદીની ચોથી નેપાળ યાત્રા
બે દિવસ ચાલનારી આ સમિટમાં સભ્ય દેશો એકબીજાના સહકારને વધુ સારા અને મજબૂત કરવા પર જોર આપશે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીની આ ચોથી નેપાળ યાત્રા છે. વર્ષ 2014 માં પીએમ બન્યા બાદ જ નરેન્દ્ર મોદી નેપાળ ગયા હતા. આ પહેલા 17 વર્ષ કોઈ પ્રધાનમંત્રી નેપાળ ગયુ નહોતુ. પીએમ મોદીની નેપાળ યાત્રાથી પહેલા જ કાઠમંડુ એરપોર્ટ પર બુલેટ પ્રૂફ ગાડી અને કમાન્ડોની એક ટોળી પહોંચી ચૂકી છે.
ઘણા મુદ્દાઓ પર થશે
સાત દેશોના બિમસ્ટેક જૂથમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા, મ્યાનમાર અને થાઈલેન્ડ શામેલ છે. વિદેશ મંત્રાલય તરફથી આ સમિટ વિશે કહેવામાં આવ્યુ છે કે આ તમામ સભ્ય દેશો માટે આ સમિટ ઘણી મહત્વપૂર્ણ છે. ગોવામાં 2016 માં થયેલી બેઠકમાં આતંકવાદ મહત્વનો મુદ્દો હતો. આ વખતે આતંકવાદ સહિત આતંકવાદી સંગઠનોના નેટવર્કને કેવી રીતે ખતમ કરવામાં આવે તેના પર ચર્ચા થશે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે આતંકને શરણ આપનારા દેશોની જવાબદારી નક્કી કરવા સાથે તેમની સામે કઠોર કાર્યવાહીની જરૂર છે.
દ્વિપક્ષીય વાતચીત પણ થઈ શકે
માનવામાં આવી રહ્યુ છે કે પ્રધાનમંત્રી મોદી બિમ્સટેકમાં દ્વિપક્ષીય બેઠકમાં પણ ભાગ લઈ શકે છે. આજનો આખો દિવસ બિમ્સટેક જૂથના નેતાઓ બેઠક કરશે જ્યારે બપોરે સત્ર સમાપ્ત થઈ જશે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભોજ થશે. જ્યારે 31 ઓગસ્ટે તમામ દેશો એકબીજા સાથે મુલાકાત અને બેઠક કરશે અને બપોરે બિમ્સટેકનું સમાપન થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
