ભારતીયોના હિતોની રક્ષા કરવી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતાઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (29 ફેબ્રુઆરી) ઉત્તર પ્રદેશના જિલ્લા પ્રયાગરાજ પહોંચ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (29 ફેબ્રુઆરી) ઉત્તર પ્રદેશના જિલ્લા પ્રયાગરાજ પહોંચ્યા છે. ત્યાં તેમણે યોગી આદિત્યનાથ સરકાર દ્વારા આયોજિત સામાજિક અધિકારિતા શિબિરને સંબોધિત કરી. પીએમ મોદીએ કહ્યુ, 'તીર્થરાજ, પ્રયાગરાજમાં આવીને હંમેશા જ એક અલગ પવિત્રતા અને ઉર્જાનો અહેસાસ થાય છે.' પીએમે આગળ કહ્યુ કે, 'ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કુંભ દરમિયાન આ પવિત્ર ધરતી પર આવ્યો હતો. ત્યાં સંગમમાં સ્નાન કરવા અને તેની સાથે સાથે મને વધુ એક સૈભાગ્ય મળ્યુ હતુ.'

સામાજિક અધિકારિતા શિબિરમાં પીએમ મોદી સાથે મંચ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા દિગ્ગજ નેતા હાજર રહ્યા. આ દરમિયાન કાર્યક્રમમાં પહોંચેલા 27 હજાર દિવ્યાંગોને પીએમ મોદીએ વ્હીલચેર વહેંચી. પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યુ, તમારા પ્રધાનસેવક તરીકે મને હજારો દિવ્યાંગ-જનો અને વૃદ્ધો, વરિષ્ઠ જનોની સેવા કરવાનો અત્યારે અવસર મળ્યો છે. થોડી વાર પહેલા અહીં લગભગ 27 હજાર સાથીઓને ઉપકરણ આપવામાં આવ્યા છે. કોઈને ટ્રાયસાઈકલ મળી છે, કોઈને સાંભળવાનુ મશીન મળ્યુ છે, વ્હીલચેર મળ્યુ છે.
દરેક વ્યક્તિનુ ભલુ થાય, દરેક વ્યક્તિને ન્યાય મળે
પીએમ મોદી આગળ કહે છે કે હું માનુ છુ કે આ ઉપકરણ તમારા બુલંદ હોંસલાઓને સહયોગી છે. તમારી અસલી શક્તિ તમારુ ધૈર્ય છે, તમારુ સામર્થ્ય છે, તમારુ માનસ છે. અમારે ત્યાં કહેવાય છે - સ્વસ્તિઃ પ્રજાભ્યઃ પરિપાલયંતાં. ન્યાયેન માર્ગેણ મહીં મહીશાઃ એટલે કે સરકારની ફરજ છે કે દરેક વ્યક્તિનુ ભલુ થાય, દરેક વ્યક્તિને ન્યાય મળે. આ વિચાર તો સબકા સાથ,, સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્રનો પણ આધાર છે.
130 કરોડ ભારતીયો અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા
કાર્યક્રમમાં પીએમ મોદીએ ઈશારા ઈશારામાં યુપીની પૂર્વ સરકારોને પણ નિશાને લીધી. તેમણે કહ્યુ, જે કામ ગઈ સરકારોમાં નહોતુ થયુ તે અમારી સરકારે કરીને બતાવ્યુ છે. ગઈ સરકારના પાંચ વર્ષમાં જ્યાં દિવ્યાંગોને 380 કરોડ રૂપિયાથી પણ ઓછાના ઉપકરણ વહેંચવામાં આવ્યા. એટલે કે લગભગ અઢી ગણા. પીએમ કહે છે કે ભલે તે વરિષ્ઠ જન હોય, દિવ્યાંગજન હોય, આદિવાસી હોય, દલિત-પીડિત, શોષિત, વંચિત હોય, 130 કરોડ ભારતીયોના હિતોની રક્ષા કરવી, તેમની સેવા કરવી, અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
