સ્વતંત્રતા દિવસના ભાષણ માટે PM મોદીએ યુવાનો પાસે માંગ્યા સૂચનો, કહ્યુ - લાલ કિલ્લાથી ગૂંજશે તમારા વિચારો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 75માં સ્વતંત્રતા દિવસને ખાસ બનાવવા માટે 15 ઓગસ્ટે પોતાના ભાષણ માટે દેશના યુવાનો પાસે સૂચનો માંગ્યા છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 75માં સ્વતંત્રતા દિવસને ખાસ બનાવવા માટે 15 ઓગસ્ટે પોતાના ભાષણ માટે દેશના યુવાનો પાસે સૂચનો માંગ્યા છે. પીએમ મોદીએ દેશના યુવાનો પાસે સૂચનો અને વિચાર માંગ્યા છે જેમને તે આવનારા સ્વતંત્રતા દિવસના ભાષણમાં ઉપયોગ કરશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે હવે લાલ કિલ્લાથી તમારા વિચારો ગુંજશે. પીએમ મોદી છેલ્લા અમુક વર્ષોથી આવુ કરતા આવ્યા છે. પીએમ મોદી યુવાનોના આવેલા સૂચનો અને તેમના વિચારોને ધ્યાનમાં રાખીને ભાષણ આપે છે.

પીએમઓ તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યુ છે કે દેશના યુવા MyGov પોર્ટલ પર જઈને સ્વતંત્રતા દિવસના ભાષણ માટે પોતાના વિચાર અને સૂચનો આપી શકે છે. પીએમઓ ઈન્ડિયા તરફથી ટ્વિટ કરીને લખવામાં આવ્યુ છે, 'તમારા વિચાર લાલ કિલ્લાથી ગુંજશે. 15 ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીના ભાષણ માટે તમારા શું ઈનપુટ છે? તેને MyGov પર શેર કરો.'
પીએમ નરેન્દ્ર મોદી નિયમિત રીતે દેશના નાગરિકો પાસે પોતાના સાર્વજનિક સંબોધનો માટે સૂચનો માંગતા રહે છે. ગયા વર્ષે પણ પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સ્વતંત્રતા દિવસ ભાષણ માટે લોકો પાસે સૂચનો માંગ્યા હતા. પીએમ મોદીએ ઓગસ્ટ 2020ની શરૂઆતમાં લોકોને પૂછ્યુ હતુ, 'એ કયા વિષય છે જેમાં તેમની રુચિ છે.' પીએમ મોદીએ ગયા વર્ષે 3000થી વધુ સૂચનો મળ્યા હતા.
શુક્રવારે પીએમઓ દ્વારા ટ્વિટ કરાયા બાદ ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી. એક ટ્વિટર યુઝરે સુમીત મહેતાએ લખ્યુ, 'પોતાના ભાષણમાં તમારે સ્કૂલમાં બધા શિક્ષણ અને બિન શિક્ષણ કર્મચારીઓ અને બાળકોના વેક્સીનેશનને એક મિશન કાર્યક્રમ તરીકે ઘોષિત કરો. બાળકો દેશનુ ભવિષ્ય છે અને તે સ્કૂલોમાં દોસ્તો સાથે બેસશે, રમશે, તેમણે વ્યક્તિગત રીતે મળશે. તેમને સ્કૂલોમાં પાછા આવવાની જરૂર છે. આ ભવિષ્ય માટે તમારો સૌથી મોટો ઉપહાર હશે.'
એક અન્ય ટ્વિટ યુઝર આકાશ સિંહે લખ્યુ, 'ડિયર પ્રધાનમંત્રીજી. ભારતમાં જનસંખ્યા વિસ્ફોટ એક મોટી સમસ્યા બની રહી છે. આવનારા અમુક વર્ષોમાં ભારતની જનસંખ્યા 150 કરોડ હશે.. માનનીય પ્રધાનમંત્રીજી સાથે અનુરોધ છે કે આ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી જનસંખ્યા વિસ્ફોટ પર કંઈ કહે.' પીએમ નરેન્દ્ર મોદી સાથે ઘણા ટ્વિટર યુઝરે પેગાસસ મુદ્દે, રાફેલ ડીલ, પેટ્રોલ-ડીઝલની કિંમત, વિવાદાસ્પદ કૃષિ કાયદો અને ખેડૂત આંદોલન પર પણ બોલવા માટે કહ્યુ છે. એક અન્ય ટ્વિટ યુઝરે લખ્યુ, 'કૃપા કરીને મોંઘવારી, બેરોજગારી, કોરોનાથી થયેલી મોતનો આંકડો, સ્લો વેક્સીનેશન, ભ્રષ્ટાચારના મુદ્દા પર પણ વાત કરો.'
Your thoughts will reverberate from the ramparts of the Red Fort.
— PMO India (@PMOIndia) July 30, 2021
What are your inputs for PM @narendramodi’s speech on 15th August? Share them on @mygovindia. https://t.co/UCjTFU30XV
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
