પીએમ મોદીનો કોંગ્રેસ પર હુમલોઃ ભ્રષ્ટાચાર સામે નોટબંધી જેવી સ્ટ્રોંગ દવાનો ઉપયોગ કરવો પડ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં રેલીને સંબોધિત કરી. રેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં રેલીને સંબોધિત કરી. રેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ. પીએમ મોદીએ કહ્યુ કે જે સરકારોના કારણે વૃદ્ધોના જીવન બદબાદ થઈ ગયા. શું તમે ફરીથી તે સરકાર લાવવા ઈચ્છશો? તેમણે કહ્યુ કે અમે જે કામ 4 વર્ષમાં કર્યા તે કરવામાં કોંગ્રેસને 10 વર્ષ લાગતા. પીએમ મોદીએ કહ્યુ કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું અમારુ સપનુ છે. પીએમે કહ્યુ કે જે કાર્ય કોંગ્રેસની સરકાર 50 વર્ષ સુધી ના કરી શકી તે કાર્ય શિવરાજ સિંહજીની સરકારે 15 વર્ષમાં કરીને બતાવ્યુ છે.

પીએમ મોદીએ કહ્યુ કે પહેલા જમાનો હતો કે માટી નાખો અને રસ્તા બની ગયા. અમે જમાનો બદલી દીધો. હવે અહીં પાક્કા રસ્તા બને છે. પહેલા બેંકમાંથી લોન લેવા માટે સંપત્તિ જામીન પર મૂકવી પડતી હતી. એ લોકો શું કરે જેમની પાસે સંપત્તિ નથી? પીએમે કહ્યુ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમે સપનું જોયુ છે કે બે-ત્રણ વર્ષ બાદ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવી અને દરેક પરિવારને ઘર અપાવવાનું છે. અમે જે ઘર બનાવી રહ્યા છે, ઘરમાં નળ હશે, નળમાં પાણી હશે, વિજળી હશે, શૌચાલય હશે અને ગેસનો ચૂલો પણ હશે.
ખેડૂતોની દેવામાફી અંગે કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ કે કર્ણાટકમાં કોંગ્રેસે વચન આપ્યુ કે ખેડૂતોનું દેવુ માફ કરશે. આજે ખેડૂતોની ધરપકડ કરી રહી છે. ખેડૂકો ઘર છોડીને ભાગી રહ્યા છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસના લોકોને મુશ્કેલી છે કે મોદી આટલુ કામ કેમ કરે છે? આ દેશને ભ્રષ્ટાચારે બરબાદ કર્યો છે. અહીં ભ્રષ્ટાચાર વિના કામ થતુ નથી. દેશને આ બિમારીમાંથી બહાર કાઢવો જોઈએ. કોંગ્રેસના કાળમાં એટલો ભ્રષ્ટાચાક ફેલાઈ ગયો કે નોટબંધી જેવી સ્ટ્રોંગ દવાનો ઉપયોગ કરવો પડ્યો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે કોંગ્રેસના કાર્યકાળમાં એવો ભ્રષ્ટાચાર ફેલાઈ ગયો કે મારે નોટબંધી કરવી પડી. અમે લોકો વર્તમાનપત્રમાં જોતા હતા કે બેડની નીચે નોટ પડી છે, કારખાનાની પાછળ પડી રહેતા હતા.. તેમણે કહ્યુ કે પાઈ પાઈ બેંકમાં જમા કરાવવા માટે અમે મજબૂર કરી દીધા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
