ત્રણ રાજ્યોમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી હાજરી આપશે
PM મોદી 7 માર્ચે નાગાલેન્ડ અને મેઘાલયમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સરકારોના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ બીજા દિવસે 8 માર્ચે પીએમ મોદી ત્રિપુરામાં હાજરી આપશે.
નવી દિલ્હી : ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં તમામ રાજ્યોમાં બીજેપી અને તેના સાથી પક્ષોની જીત થઈ છે. હવે સરકાર બનાવવા માટે કવાયત શરૂ થઈ છે. ત્રણેય રાજ્યોમાં સરકારની રચના સાથે ટૂંક સમયમાં મુખ્યમંત્રી અને ધારાસભ્યોની શપથવિધિ યોજાવા જઈ રહી છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ત્રણ રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

PM મોદી 7 માર્ચે નાગાલેન્ડ અને મેઘાલયમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સરકારોના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ બીજા દિવસે 8 માર્ચે પીએમ મોદી ત્રિપુરામાં હાજરી આપશે. અહીં તમને જણાવી દઈએ કે, ભાજપે ત્રિપુરામાં ફરી એકવાર સરકાર બનાવવા માટે બહુમતી મેળવી છે. નાગાલેન્ડમાં તેની સહયોગી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી સાથે સરકાર બનાવશે. મેઘાલયમાં ત્રિશંકુ સરકાર બને તેવી શક્યતાઓ છે.
2 માર્ચે ચૂંટણીના પરિણામો બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે, પૂર્વોત્તરના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું સારું પ્રદર્શન લોકશાહી અને લોકશાહીમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે. પૂર્વોત્તરના ચૂંટણી પરિણામો જે રીતે મોટા પાયે પ્રકાશિત થયા છે તે દર્શાવે છે કે આ ક્ષેત્ર ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે.












Click it and Unblock the Notifications
