પીએમ મોદીને આજે મળશે ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ અવૉર્ડ
રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે શુક્રવારે(5 માર્ચ) વધુ એક મોટુ સમ્માન મળવાનુ છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે શુક્રવારે(5 માર્ચ) વધુ એક મોટુ સમ્માન મળવાનુ છે. પીએમ નરેન્દ્ર મોદીને આજે સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ અવૉર્ડથી નવાજવામાં આવશે. પીએમ મોદીને મળનાર આ અવૉર્ડ કેમ્બ્રીજ એનર્જી રિસર્ચ એસોસિએટ્સ વીક(સેરાવીક)નો મહત્વનો પુરસ્કાર છે. પ્રધાનમંત્રી કાર્યાલયે આની માહિતી આપી છે. પીએમ નરેન્દ્ર મોદી આ સમ્માન સમારંભમાં વીડિયો કૉન્ફરન્સ દ્વારા ભાગ પણ લેશે અને તે આ કાર્યક્રમને સંબોધિત પણ કરશે. ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરેન્ટ લીડરશીપ અવૉર્ડની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. આ ઈન્ટરનેશનલ અવૉર્ડ વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રમાં પ્રતિબદ્ધ નેતૃત્વ માટે આપવામાં આવે છે.

1983માં સેરાવીકની સ્થાપના ડૉક્ટર ડેનિયલ યેરગિને કરી હતી. આની સ્થાપના બાદથી જ દર વર્ષે માર્ચ મહિનામાં હ્યુસ્ટનમાં સેરાવીકનુ આયોજન કરવામાં આવે છે. સેરાવીકની ગણતરી દુનિયાભરના સૌથી મોટા ઉર્જા મંચોમાં થાય છે. કોરોના વાયરસ મહામારીના કારણે આ વર્ષનુ આયોજન ડિજિટલ રીતે એકથી પાંચ માર્ચ વચ્ચે કરવામાં આવી રહ્યુ છે. સેરાવીકનો આજે છેલ્લો દિવસ છે. સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ અવૉર્ડની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. આ સમ્માન વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રમાં કરવામાં આવેલ સારા કામો માટે કરવામાં આવે છે. વર્ષ 2021ના અવૉર્ડ માટે પીએમ મોદીને પસંદ કરવામાં આવ્યા છે.
પીએમ મોદી ઉપરાંત આ કાર્યક્રમને અમેરિકાના વિશેષ રાષ્ટ્રપતિ દૂત જૉન કેરી, બ્રેકથ્રૂ એનર્જી બિલ ગેટ્સના સંસ્થાપક અને સઉદી અરામના સીઈઓ અમીન નાસિર, બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ પણ સંબોધિત કરશે. કાર્યક્રમના આયોજકોએ કહ્યુ છે કે અમે દુનિયાના સૌથી મોટા લોકતંત્રની ભૂમિકા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને જાણવા માટે ઉત્સુક છે. દેશ અને દુનિયાના ભાવિ ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે અને ભારતના નેતૃત્વનો વિસ્તાર કરવાની પોતાની પ્રતિબદ્ધતા માટે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પુરસ્કારથી સમ્માનિત કરવા માંગીએ છીએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં










Click it and Unblock the Notifications
