પરિણામો પહેલા જ 100 દિવસનો એજેન્ડા તૈયાર કરવાનો આદેશ
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થતા પહેલા જ પ્રધાનમંત્રી મોદીએ બધા જ ઉચ્ચ પ્રશાશનીક અધિકારીઓ અને કેબિનેટ મંત્રીઓની બેઠક બોલાવી.
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થતા પહેલા જ પ્રધાનમંત્રી મોદીએ બધા જ ઉચ્ચ પ્રશાશનીક અધિકારીઓ અને કેબિનેટ મંત્રીઓની બેઠક બોલાવી. સૂત્રો અનુસાર આ બેઠક મંગળવારે રાત્રે પ્રધાનમંત્રી આવાસે થઇ હતી પરંતુ હજુ સુધી અધિકારીક રૂપે આ બેઠક અંગે કઈ પણ કહેવામાં નથી આવ્યું. સૂત્રો અનુસાર પ્રધાનમંત્રી મોદીએ આ બેઠક દરમિયાન બધા જ મુદ્દાઓ પર આ લોકોની સલાહ લીધી છે, જેમાં દેશની અર્થવ્યવસ્થા સૌથી મોટો મુદ્દો છે.

પ્રધાનમંત્રી મોદીની પ્રશાશનીક અધિકારીઓ સાથે આ પહેલી બેઠક છે, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર લોકોનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. આ પહેલા પીએમ મોદીએ કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક કરી હતી, જેમાં બધા જ એનડીએ સહયોગી દળો શામિલ હતા. આ બેઠકનું આયોજન ભાજપા અધ્યક્ષ અમિત શાહ ઘ્વારા કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થયા પછી મોટાભાગના એક્ઝીટ પોલમાં એનડીએ સરકારને બહુમત આપવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર સરકારે પહેલાથી જ બધા મંત્રાલય અને વિભાગોને 100 દિવસનો એજેન્ડા તૈયાર કરવા માટે કહ્યું છે.
આ પણ વાંચો: દેશના પ્રધાનમંત્રી કોણ બનશે, શુ એક્ઝીટ પોલ સાચા સાબિત થશે?
2015માં સીએનએન-આઈબીએન માટે લોકનીતિ-સીએસડીએસના યુપીમાં ભાજપ અને સીએસડીએસે યુપીમાં ભાજપ અને તેની સહોયગી પાર્ટીઓને 45થી 53 બેઠકો મળવાની આગાહી કરાઈ હતી. સપાને 13થી 17, બસપાને 10થી 14, કોંગ્રેસને 3થી 5 બેઠકો મળવાનું અનુમાન હતું. તો એબીપી ન્યૂઝ-નેલસન દ્વારા કરાયેલા એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાનીવાળા એનડીએને 46, સપાને 12, બસપાને 13 અને કોંગ્રેસને 8 બેઠકોનું અનુમાન લગાવાયું હતું. ટાઈમ્સ નાઉ-ઓઆરજીના સર્વેમાં દાવો કરાયો હતો કે એનડીએને 49 બેઠકો મળશે. ન્યૂઝ 24-ચાણક્યએ એનડીએને 67 તો યુપીએને 3 બેઠકો મળવાનો દાવો કર્યો હતો. આ સર્વેમાં સપાને 4 અને બસપાને 3 બેઠકો મળવાની આગાહી કરાઈ હતી. ઈન્ડિયા ટીવી અને સી વોટર્સ પ્રમાણે એનડીએને 54 ,યુપીએને 7 બેઠકોનું અનુમાન હતું. આ સર્વેમાં સપાને 11 અને માયાવતીની બસપાને 8 બેઠકો અપાઈ હતી. પરંતુ બસપાનું ખાતુ પણ નહોતું ખુલ્ય અને સપા ફક્ત પરિવારની 5 જ બેઠકો જીતી શકી હતી.
આ પણ વાંચો: 272થી ઓછી સીટો એનડીએને મળી તો વિપક્ષ પાસે છે સિક્રેટ પ્લાન
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
