વિવાદિત ટિપ્પણી બાદ સંજય નિરુપમ બોલ્યા, ‘ભગવાન નથી પીએમ મોદી'
કોંગ્રેસ નેતા સંજય નિરુપમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે કરાયેલી અભદ્ર ટિપ્પણી પર રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે.
કોંગ્રેસ નેતા સંજય નિરુપમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે કરાયેલી અભદ્ર ટિપ્પણી પર રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. ભાજપે આ નિવેદન અંગે કોંગ્રેસ પાસે માફીની માંગ કરી છે ત્યાં બીજી તરફ સંજય નિરુપમ પોતાના નિવેદન પર અડગ છે. પોતાના નિવેદન પર મચેલા હોબાળા બાદ ગુરુવારે સંજય નિરુપમે કહ્યુ કે દેશમાં લોકતંત્ર છે અને લોકતંત્રમાં પ્રધાનમંત્રી ભગવાન નથી. મે પીએમ મોદી અંગે જે શબ્દનો ઉપયોગ કર્યો છે તે બિલકુલ અમર્યાદિત નથી.

‘બાળકોને તેમના શિક્ષણ વિશે શું કહીશુ'
ગુરુવારે સંજય નિરુપમે આ મામલે કહ્યુ, ‘જો બાળકો પ્રધાનમંત્રીની શૈક્ષણિક યોગ્યતા વિશે પૂછે તો તમે તેમને શું કહેશો? લોકોને તેમના શિક્ષણ વિશે જાણ નથી. એવી કઈ તાકાતો છે જે દિલ્લી યુનિવર્સિટી પર પીએમની ડિગ્રી જાહેર કરતા રોકવા માટે દબાણ કરી રહી છે? જ્યારે દાવો કરવામાં આવે છે કે તેમણે ત્યાં અભ્યાસ કર્યો છે. દેશમાં લોકતંત્ર છે અને લોકતંત્રમાં પ્રધાનમંત્રી ભગવાન નથી હોતા. મે પીએમ મોદી અંગે અમર્યાદિત શબ્દોનો ઉપયોગ નથી કર્યો.'

શું કહ્યુ હતુ નિરુપમે?
તમને જણાવી દઈએ કે બુધવારે સંજય નિરુપમે પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરતા કહ્યુ હતુ, ‘મોદીજી ઉપર કોઈ ફિલ્મ બની છે અને તે બતાવવા માટે જબરદસ્તી કરવામાં આવી રહી છે. આ એકદમ અયોગ્ય છે. આપણા બાળકોને રાજકારણથી દૂર રાખવા જોઈએ. બીજી વાત એ કે જે બાળકો શાળા-કોલેજોમાં ભણી રહ્યા છે તેમને મોદી જેવા અભણ-ગમાર વિશે જાણીને શું મળવાનું છે કારણકે આ બહુ શરમજનક વાત છે કે આજ સુધી આપણા દેશના નાગરિકોને ખબર નથી કે આપણા પ્રધાનમંત્રીની ડિગ્રી શું છે?'

મણિશંકર ઐય્યર પણ કરી ચૂક્યા છે અભદ્ર ટિપ્પણી
આ પહેલી વાર નથી કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે અભદ્ર ટિપ્પણીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. આ પહેલા પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. મણિશંકરના નિવેદન પર રાજકીય ઘમાસાણ મચ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને પક્ષમાંથી બરતરફ કર્યા હતા. જો કે હાલમાં મણિશંકર ઐય્યરની બરતરફી રદ કરીને તેમને ફરીથી પક્ષમાં શામેલ કરી લેવામાં આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
