કાશીના દ્વારે પહોંચ્યા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, પીએમ મોદીના નામાંકનમાં લેશે ભાગ
નામાંકન દરમિયાન એનડીએ પોતાની પૂરી શક્તિ બતાવશે એટલા માટે આજે સવારથી પીએમના નામાંકનમાં ભાગ લેવા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ વારાણસી પહોંચ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીથી પોતાનું નામાંકન કરશે. આ પહેલા ગુરુવારે પ્રધાનમંત્રી મોદીએ વારાણસીમાં રોડ શો કર્યો હતો જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકો શામેલ થયા હતા અને આજે પણ તેમના નામાંકન દરમિયાન એનડીએ પોતાની પૂરી શક્તિ બતાવશે એટલા માટે આજે સવારથી પીએમના નામાંકનમાં ભાગ લેવા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ વારાણસી પહોંચ્યા. કાશીની ધરતી પર પગ મૂક્યા બાદ ઉદ્ધવ સીધા 'કાશીના કોતવાલ' કહેવાતા 'બાબા કાલ ભૈરવ'ના દર્શન કરવા પહોંચ્યા જ્યાં તેમણે સવાર સવારમાં વિધિવત પૂજા-અર્ચના કરી અને 'બાબા કાલ ભૈરવ'ના આશીર્વાદ લીધા.
|
ઉદ્ધવ ઠાકરેએ કાલ ભૈરવ મંદિરમાં કરી પૂજા-અર્ચના
માન્યતા છે કે કાશીમાં કાલ ભૈરવને સ્વયં મહાદેવે નિયુક્ત કર્યા હતા. કાશીમાં રહેવા માટે દરેક વ્યક્તિને ‘બાબા કાલ ભૈરવ'ની મંજૂરી લેવી પડે છે અને એટલા માટે મોદીએ પણ ગુરુવારે ‘બાબા કાલ ભૈરવ'ની પૂજા કરી હતી. ખાસ વાત છે કે આ એક એવા ભગવાન છે જ્યાં દરેક પ્રકારનો પ્રસાદ ચઢે છે. ભલે તે ટૉફી, બિસ્કિટ, મિઠાઈ, ગાંજો-ભાંગ ત્યાં સુધી કે દારૂ પણ કેમ ના હોય. માનવામાં આવે છે કે તેમના દર્શન કર્યા વગર વિશ્વનાથના દર્શન અધૂરા માનવામાં આવે છે.

રોડ શોમાં ભાજપે કર્યુ શક્તિ પ્રદર્શન
પોતાના રોડ શો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધિત કરીને કહ્યુ કે જો તમારા લોકોની મંજૂરી હોય તો હું કાલે ફોર્મ ભરી દઉ. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો મોદી-મોદીના નારા લાગવા લાગ્યા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે ભલે કંઈ પણ થઈ જાય દેશહિત સિવાય કોઈ બીજાનું હિત નહિ વિચારુ. ભલે તે પુલવામાનો સંકેત હોય, ઉરીની ઘટના હોય કે પછી મારા જીવનની અન્ય કોઈ પણ, મારો એક જ મંત્ર છે અને તે જ મંત્ર લઈને હું જીવ્યો છુ. ઈન્ડિયા ફર્સ્ટ.

કાશીએ મને માત્ર એમપી નહિ પરંતુ પીએમ બનવાના આશીર્વાદ આપ્યાઃ પીએમ
પીએમે કહ્યુ કે કાશીએ મને માત્ર એમપી નહિ પરંતુ પીએમ બનવાના આશીર્વાદ આપ્યા. મને 130 કરોડ ભારતીયોના વિશ્વાસની તાકાત આપી. સમર્થ, સંપન્ન અને સુખી ભારત માટે વિકાસ સાથે સાથે સુરક્ષા મહત્વની છે. સાથીઓ, મારો એ મત રહ્યો છે કે પરિવર્તન ત્યારે જ સાર્થક અને સ્થાયી હોય છે જ્યારે જન-મન બદલાય છે. આ જન-મનને સાધવા માટે તપસ્યા કરવી પડે છે.

ભારત પણ તપસ્યાના દોરમાં છેઃ પીએમ મોદી
હું માનુ છુ કે આ સમયે ભારત પણ તપસ્યાના દોરમાં છે. તે પોતાને સાધી રહ્યુ છે અને આ સાધનામાં આપણે બધા એક સેવક છે, સાધક છે. જે સપનુ મનમાં છે તે પૂરુ થઈ ગયુ એવો હું ક્યારેય દાવો નથી કરતો પરંતુ એ સપનુ પૂરુ કરવાની દિશામાં અમારો રસ્તો અને ઝડપ યોગ્ય છે એ હુ જરૂર કહી શકુ છુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
