વીજળી માટે પીક અવર્સ પાવર મીટરિંગ મૂકાશે : સિંધિયા
નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર : કેન્દ્ર સરકારે વિજળી વિતરણ વ્યવસ્થામાં ધરખમ ફેરફારો કરવાની તૈયારી કરી લીધી છે. સામાન્ય ગ્રાહકો માટે હવે વિજળીના ભાવ 24 કલાક એક સરખા નહી રહે. વ્યસ્ત સમય (પીક અવર્સ)માં વિજળી મોંઘી બનશે અને બાકીના સમયમાં વિજળી સસ્તી મળશે. કેન્દ્ર સરકાર આ યોજના પર અમલ કરવા માટે 'પીક અવર્સ પોલીસી' તૈયાર કરી રહી છે.
કેન્દ્રીય વિદ્યુત રાજય મંત્રી (સ્વતંત્ર) પોતાના 300 દિવસના કામકાજનો રિપોર્ટ રજુ કરતા જયોતિરાદિત્ય સિંધીયાએ કહ્યું છે કે સરકારનો પ્રયાસ છે કે તમામને વહેલામાં વહેલી જરૂરીયાત મુજબની વિજળી મળે. તેઓ કહે છે કે, પીક અવર્સ પોલીસીનો હેતુ ગ્રીડમાં દિવસભર વિજળીની એક સમાન માંગ કરવાનો છે. પીક અવર્સમાં ભાવ વધુ હોવાથી લોકો વિજળીનો ઉપયોગ સમજી વિચારીને કરશે. આનાથી ગ્રીડ ઉપર સવારે અને સાંજે વિજળીની બેફામ માંગ વધવાના પ્રેશરને હળવુ કરી શકાશે. હાલ દેશમાં વિજળીની સરેરાશ 4.5 ટકાની અછત છે.

હવે વિજળીના બીલની ચિંતા ગ્રાહકોને સતત થતી રહેશે કારણ કે, તમને વારંવાર ઓછો વપરાશ કરવાની ચેતવણી મળતી રહેશે. સરકાર વ્યસ્ત કલાકોમાં વિજળી ઓછી વાપરવા માટે મોબાઇલ ફોનના બીલની જેમ જ વિજળી બીલ જારી કરવાની યોજના બનાવી રહી છે. જે પ્રકારે મોબાઇલ બીલમાં તમે કોલની વિગતો મળી જાય છે તે જ પ્રકારે વિજળીના બીલમાં દર કલાકના ઉપયોગને અલગ અલગ દર્શાવાશે.
આ અંગે એક સંમેલનમાં સિંધીયાએ કહ્યુ હતું કે ગ્રાહકોને મોબાઇલ બીલની જેમ જ વિજળીના બીલો આપવામાં આવશે કે જેથી જાણી શકાય કે તેમણે કયા સમયે કેટલી વિજળીનો ઉપયોગ કરાયો. સાથોસાથ પીક અવર્સમાં સામાન્ય કલાકોની તુલનામાં વિજળીના દર વધુ રખાશે. આ પગલાથી વિજળી વપરાશ પારદર્શી બનશે, વળી ગ્રાહકોને આર્થિક લાભ પણ થશે. સરકાર ટુંક સમયમાં આ નિર્ણયનો અમલ કરશે.
તેમણે જણાવ્યું છે કે 2004માં સત્તા ઉપર આવ્યા બાદ યુપીએ સરકારે તમામ ઘરોમાં વિજળી ઉપલબ્ધ કરાવવા માટે પાવર ટુ ઓલનું વચન આપ્યુ હતુ તે પુરૂં થઇ શકયું નથી. આ માટે તેમણે રાજય સરકારોને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યુ હતુ કે રાજયોએ વધુ વિજળી પેદા કરવી પડશે. કેન્દ્ર માત્ર મદદ કરશે. વિજળી વિતરણ નેટવર્કને મજબુત બનાવવા માટે રાજયોએ વધુ કામ કરવુ પડશે.
સિંધીયાએ જયારે પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના એ રેટીંગ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો જેમાં નરેન્દ્ર મોદીના ગુજરાતની ત્રણેય વિતરણ કંપનીઓને ટોચનું સ્થાન મળ્યુ છે તો સિંધીયાએ કહ્યું હતું કે, મને ગુજરાતની વિજ વિતરણ કંપનીઓના કામકાજના વખાણ કરવાથી કોઇ વાંધો નથી. જો કે તેમણે મોદીના કામકાજ ઉપર ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
