પાકિસ્તાને આ વર્ષે 96 વાર યુદ્ધવિરામનો ભંગ કર્યો
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર : ભારતના સુરક્ષા પ્રવક્તા એસ એન આચાર્યએ બુધવારે જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન સરહદ પરની મહત્વની ચોકીઓ અને નાગરિક વિસ્તારોને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાને આ વર્ષે 96 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. છેલ્લા આઠ વર્ષમાં આ વર્ષે સૌથી વધુ વખત પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.
આચાર્યએ કહ્યું હતું કે સપ્ટેમ્બરના મહિનામાં પાકિસ્તાની સેનાએ 18 વાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. આનો મતલબ એ થયો કે પાકિસ્તાની સેનાએ આ મહિનામાં દરરોજ યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો છે જેના પરિણામ સ્વરૂપે ભારે તંગદિલીપૂર્ણ સ્થિતિ સરહદ પર રહી છે. આચાર્યનું કહેવું છે કે આ વર્ષે નવેમ્બરમાં યુદ્ધવિરામના અસ્તિત્વને લઈને એક દશક પૂર્ણ થનાર છે.

વર્ષ 2003માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સમજૂતિ થઈ હતી ત્યારબાદથી પાકિસ્તાને વારંવાર યુદ્ધવિરામનો ભંગ જારી રાખીને સમજૂતિઓનો ભંગ કર્યો છે. આ વર્ષે જમ્મુ - કાશ્મીરના એલઓસી, આંતરરાષ્ટ્રીય સરહદમાં પાકિસ્તાની સૈનિકો દ્વારા ગોળીબાર અને દુસાહસના લીધે તંગદિલીપૂર્ણ સ્થિતિ રહી છે. છઠ્ઠી ઓગસ્ટ બાદથી દરરોજ પાકિસ્તાની સેના દ્વારા ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. છ જવાનો છઠ્ઠી ઓગસ્ટના દિવસે માર્યા ગયા હતા. એ દિવસે અગ્રિમ ચોકીઓ, નાગરિક વિસ્તારોમાં પાકિસ્તાની સેનાના જવાનો ધૂસી ગયા હતા અને છુપો હુમલો કરીને છ જવાનોને મોતને ધાટ ઉતારી દીધા હતા.
આ મુદ્દે સંરક્ષણ પ્રધાન એ કે એન્ટોનીએ માર્ચ મહિનામાં લોકસભામાં જણાવ્યું હતું કે ગયા વર્ષે જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા પર 93 વખત યુદ્ધવિરામનો ભંગ કરાયો હતો. ગયા વર્ષે ફાયરિંગ અને યુદ્ધવિરામના ભંગના સરહદી બનાવોમાં 10 સુરક્ષાજવાન સહિત 13 લોકો ધાયલ થયા હતા અને ત્રણ સુરક્ષા જવાનો માર્યા ગયા હતા.
પાકિસ્તાની સેનાએ 2010માં 44 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. જ્યારે 2011માં 51 વખત યુદ્ધવિરામનોભંગ કરાયો હતો. 2010માં યુદ્ધવિરામના ભંગ દરમિયાન બે જવાનોના મોત થયા હતા, જ્યારે 2011માં એકનું મોત થયું હતું. 2009માં યુદ્ધવિરામનો 28 વખત ભંગ થયો હતો. જ્યારે 2008માં 77 વખત પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. આંકડાઓ દર્શાવે છે કે પાકિસ્તાની સેનાએ એનડીએના શાસન દરમિયાન પણ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો પરંતુ તે ગાળા દરમિયાન ધણા વિશ્વાસ નિર્માણના પગલા લેવાયા હતા.
યુદ્ધવિરામ ભંગના આંકડા
વર્ષ યુદ્ધવિરામનો ભંગ
2006 3
2007 21
2008 77
2009 28
2010 44
2011 51
2012 93
2013 96
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
