આરોપ મુક્ત થયા બાદ મુરલી મનોહર જોશીએ કહ્યુ - કોઈ ષડયંત્રનો હિસ્સો નહોતી અમારી રેલીઓ
કોર્ટમાથી આરોપ મુક્ત થયા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનુ પહેલુ નિવેદન સામે આવ્યુ છે.
લખનઉઃ 28 વર્ષ જૂની બાબરી ધ્વંસ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે આજે પોતાનો ચુકાદો સુરક્ષિત કર્યો છે. કોર્ટે 49 આરોપીઓમાંથી જીવિત 32 આરોપીઓને મુક્ત કરી દીધા છે. કોર્ટમાથી આરોપ મુક્ત થયા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનુ પહેલુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે લખનઉની વિશેષ સીબીઆઈ અદાલતના ચુકાદાનુ સ્વાગત કરીને આરોપ મુક્ત થવા પર ખુશી વ્યક્ત કરી છે. ભાજપ નેતાએ કહ્યુ આ વકીલોના કઠોર પરિશ્રમ વિના સંભવ ન થઈ શક્યુ હોત.

આ કેસની સુનાવણી ન્યાયાધીશ એસકે યાદવ કરી રહ્યા હતા જેમનો કાર્યકાળ આજે જ સમાપ્ત થઈ રહ્યો છે. તેમણે બધા આરોપીઓને મુક્ત કરીને ચુકાદામાં કહ્યુ કે બાબરી ધ્વંસની ઘટના પૂર્વ નિયોજિત નહોતી. ચુકાદો વાંચતા તેમણે કહ્યુ કે અધિનિયમમાં કોઈ ષડયંત્ર નહોતુ અને આ ક્ષણભરમાં થયુ. કોર્ટેમાંથી રાહત મળવા પર મુરલી મનોહર જોશી બોલ્યા, 'આ અદાલતનો ઐતિહાસિક નિર્ણય છે. આનાથી સાબિત થાય છે કે અયોધ્યામાં 6 ડિસેમ્બરની ઘટના માટે કોઈ ષડયંત્ર નહોતી રચવામાં આવ્યુ. અમારો કાર્યક્રમ અને રેલીઓ કોઈ ષડયંત્રનો હિસ્સો નહોતી. અમે ખુશ છે કે દરેકે હવે રામ મંદિર નિર્માણ માટે ઉત્સાહિત હોવુ જોઈએ.'
ઉલ્લેખનીય છે કે છ ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ પાડવા સંબંધિત કેસમાં આજે સીબીઆઈ અદાલતે પોતાના ચુકાદો સંભળાવ્યો. ઘટનાના 28 વર્ષ બાદ કેસમાં ચુકાદો આવ્યો છે. અદાલતે બધા આરોપીઓને કોર્ટમાં રહેવા કહ્યુ હતુ. આ કેસમાં સીનિયર લીડર લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત 49 આરોપી હતા. આમાંથી 17ના મોત થઈ ચૂક્યા હતા. વળી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, સતીશ પ્રધાન અને મહંત નૃત્ય ગોપાલ દાસ અસ્વસ્થ થવાના કારણે આજે કોર્ટ પહોંચી શક્યા નહિ.
It's a historic decision by the court. This proves that no conspiracy was hatched for December 6 incident in Ayodhya. Our program and rallies were not part of any conspiracy. We are happy, everyone should now be excited about Ram Mandir's construction: Murli Manohar Joshi, BJP https://t.co/dwpyHkDM6X pic.twitter.com/2Uf5WrINZp
— ANI (@ANI) September 30, 2020
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
