1 જૂલાઈથી શરૂ થતી ચાર ધામ યાત્રામાં બીજા રાજ્યના પ્રવાસી નહિ જઈ શકે
કોરોના વાયરસનુ સંક્રમણ દેશમાં ફેલાવાની અસર ચાર ધામ યાત્રા પર પણ પડી રહ્યુ છે.
કોરોના વાયરસનુ સંક્રમણ દેશમાં ફેલાવાની અસર ચાર ધામ યાત્રા પર પણ પડી રહ્યુ છે. દર વર્ષે લગભગ એપ્રિલ-મેમાં શરૂ થનારી આ યાત્રા આ વખતે જૂન સુધી શરૂ થઈ શકી નથી. બહુ વિચાર કર્યા બાદ ઉત્તરાખંડ સરકારે એક જુલાઈથી યાત્રાને શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ હાલમાં આ યાત્રા ગયા વર્ષોની જેમ સામાન્ય નહિ હોય. અત્યારે લગભગ બધા લોકોને ચાર ધામ યાત્રાની મંજૂરી નથી આપવામાં આવી. સીમિત સંખ્યામાં જ લોકોને કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રાના દર્શનનો લાભ મળશે.

એક જુલાઈથી શરૂ થઈ રહેલી ચાર ધામ યાત્રા માટે હજુ માત્ર ઉત્તરાખંડ નિવાસીઓને જ મંજૂરી આપવામાં આવી છે. ચાર ધામ દેવસ્થાનમ બોર્ડના સીઈઓ રવિનાથ રમનના જણાવ્યા મુજબ રાજ્યમાં રહેતા લોકો પહેલા જિલ્લા પ્રશાસનથી મંજૂરી લીધા બાદ આવેદન આપશે. મંજૂરી મળ્યા બાદથી જ તે ચાર ધામની યાત્રા પર જઈ શકશે. યાત્રા પર જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓ માટે રુદ્રપ્રયાગ, ચમોલી અને ઉત્તરકાશી જિલ્લા પ્રશાસ સોમવાર સુધી વેબસાઈટ લૉન્ચ કરશે. વેબસાઈટ પર જઈને તે યાત્રા માટે આવેદન કરી શકશે. ત્યારબાદ તેમને પ્રશાસન યાત્રા પાસ જારી કરશે.
ચાર ધામ યાત્રા માટે કન્ટેનમેન્ટ ઝોનના લોકોને હજુ વધુ રાહ જોવી પડશે. તેમને હાલમાં આ યાત્રા માટે મંજૂરી નથી આપવામાં આવી. ક્વૉરંટાઈનમાં રહેતા લોકો પણ યાત્રા પર નહિ જઈ શકે. ઉત્તરાખંડથી બહાર અન્ય રાજ્યોના લોકોને યાત્રા પર જવાની મંજૂરી નથી. ઉત્તરાખંડના જે લોકોને યાત્રા પર જવાની મંજૂરી પ્રશાસન આપશે. તેમને પણ સ્થાનિક નિવાસી હોવાનુ પ્રમાણપત્ર આપવાનુ રહેશે ત્યારે તેમને પાસ જારી કરવામાં આવશે.
અત્યારે સરકારે એ નક્કી કર્યુ છે કે બદ્રીનાથ ધામમાં 1200 શ્રદ્ધાળુઓને જવાની મંજૂરી આપવામાં આવશે. વળી, કેદારનાથમાં 800, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં 400 શ્રદ્ધાળુઓને જવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાર ધામ યાત્રાના સીઈઓ રવિનાથ રમને કહ્યુ કે જેટલી સંખ્યાાં લોકોને જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. હાલમાં તેમના માટે ત્યાં પૂરી તૈયારી કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે તીર્થ પુરોહિતોનુ એક જૂથ યાત્રા શરૂ કરવા તૈયાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
