સાવધાન : દેશના દરેક મોટા શહેરમાં થશે ઓમિક્રોન વિસ્ફોટ, પણ ચિંતા કરવાની જરૂર નથી

ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફોર જિનેટિક્સના ડિરેક્ટર ડૉ. રાકેશ મિશ્રા કહે છે કે, પરિણામો દર્શાવે છે કે, હાઈબ્રિડ ઇમ્યુનિટી કોરોનાના નવા પ્રકાર સામે અસરકારક સાબિત થશે. આ બાબતોની વૈજ્ઞાનિક રીતે પુષ્ટિ કરવામાં આવી રહી છે.

નવી દિલ્હી : કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનએ સમગ્ર વિશ્વમાં લોકોની ચિંતા વધારી છે. આ પ્રકાર જે રીતે ફેલાઈ રહ્યો છે, તેના પર વૈજ્ઞાનિકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જો કે, આરોગ્ય વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોના રસી નવા પ્રકાર સામેની લડાઈમાં લોકોને મદદ કરશે.

રાકેશ મિશ્રા

ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફોર જિનેટિક્સના ડિરેક્ટર ડૉ. રાકેશ મિશ્રા કહે છે કે, પરિણામો દર્શાવે છે કે, હાઈબ્રિડ ઇમ્યુનિટી કોરોનાના નવા પ્રકાર સામે અસરકારક સાબિત થશે. આ બાબતોની વૈજ્ઞાનિક રીતે પુષ્ટિ કરવામાં આવી રહી છે. લોકો પોતાની રીતે પ્રયોગ પણ કરી રહ્યા છે અને લેબમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. મને લાગે છે કે, તેના પરિણામો આગામી 10 દિવસમાં અથવા બે અઠવાડિયામાં પણ આવી શકે છે.

ડૉ. રાકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે, હાઈબ્રિડ ઈમ્યુનિટી લોકોને રક્ષણ પૂરું પાડશે, કદાચ તે થોડું ઓછું રક્ષણ પૂરું પાડશે, રસીમાંથી આવતી ઈમ્યુનિટી અને હાઈબ્રિડ ઈમ્યુનિટી લોકો માટે અસરકારક સાબિત થશે. હું માનું છું કે જો લોકોને પહેલા સંક્રમણ થયું હોય અને રસીના બંને ડોઝ લીધા હોય, તો તે નવા પ્રકાર સામેની લડાઈમાં મદદ કરશે. લોકોને મોટા શહેરોમાં સંક્રમણ થયું છે અને લોકો જાગૃત પણ નથી. કારણ કે, તેઓ એસિમ્પટમેટિક હતા.

રાકેશ મિશ્રા

ડો. મિશ્રાએ લોકોને ચેતવણી આપી હતી કે, કોરોના સંક્રમણ હજૂ સમાપ્ત થયું નથી અને લોકોને જાગૃત કરવા માટે ઓમિક્રોન પૂરતું છે. લોકોએ તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ જેથી કરીને લોકોને રસી સામે રક્ષણ મળી શકે.

અમારી આરોગ્ય સંભાળ પ્રણાલીમાં સુધારો થયો છે, મોટી સંખ્યામાં લોકો રસી મેળવી રહ્યા છે, અમે વધુ સારી રીતે તૈયાર છીએ અને નવા પડકાર સામે મજબૂત સ્થિતિમાં છીએ, પરંતુ અમારે બેદરકાર રહેવાની જરૂર નથી. સરકારને સહકાર આપવા અને રસીકરણ કરાવવાની જવાબદારી લોકોની છે.

દેશમાં ઓમિક્રોન વિશે ડૉક્ટર મિશ્રાએ જણાવ્યું હતું કે, ઓમિક્રોનથી સંક્રમિત 70-80 ટકા લોકોને ખબર પણ નહીં હોય કે, તેઓ ચેપગ્રસ્ત છે. કારણ કે, તેના લક્ષણો સામાન્ય શરદી જેવા છે. લક્ષણ ગંભીર નથી, આ સંક્રમણ દેશના લગભગ તમામ મોટા શહેરોમાં થશે.

આ સંક્રમણમાં લોકોને ઓક્સિજનની કમીનો અનુભવ થશે નહીં અને તેમના મોંનો સ્વાદ પણ જશે નહીં. જો કે, ડો. મિશ્રા કહે છે કે, ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક છે, પરંતુ તે ઓછા લક્ષણવાળું છે, જે એક સારી નિશાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X