ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

અનામત નાબૂદ કરોઃ શંકરાચાર્ય
દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના પ્રતિનિધિ સ્વામી સદાનંદ સરસ્વતીએ પાટીદારોને પત્ર લખ્યો. જેમાં કહેવામાં આવ્યું છે કે અનામતના કારણે યુવાનોને નુકસાન થઇ રહ્યું છે. સરકારે જાતિના આધારે અનામત આપવાના કારણે અંદરોઅંદર રાગ-દ્વેષની ભાવના ઉભી થઇ છે.

પહેલા નોરતે જ વરસાદ પડ્યો
નવરાત્રીના પહલે દિવસે જ વરસાદે ખેલૈયાઓની મજા બગાડી હતી. રાત્રે 11 વાગ્યે તોફાની પવન સાથે વરસાદ ખાબકતાં ગરબાના કંદમાં ભંદ પડ્યો હતો. વરસાદને કારણે ખેલૈયાઓ ઉદાસ થઈ ગયા હતા જ્યારે રાસ ગરબાના આયોજકોની પણ હાલત કફોડી બની હતી.

બૉલીવુડમાં બેનના કારણે પાકિસ્તાની કલાકારો થઇ શકે છે પાયમાલ
પાકિસ્તાની કલાકારોને બૉલીવુડમાં પ્રતિબંધિત કરાઇ રહ્યા છે. ફવાદ અને અલી ઝફર જેવા કલાકારોને પાકિસ્તાનમાં એક ફિલ્મ માટે 25 લાખ મળે છે. જ્યારે બૉલીવુડમાં તેમને એક ફિલ્મ માટે દોઢ કરોડ રૂપિયા મળે છે. સ્ટેજ શો વગેરે મળતા બંધ થઇ જશે જેથી 75 ટકા આવકનો ઘટાડો થશે.

સેનાના ડરથી પીઓકેમાંથી 300 આતંકીઓ નાસી છૂટ્યા
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ભારતીય આર્મીએ 50 આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો. જે બાદ પીઓકેમાંથી અંદાજે 300 આતંકીઓ કેમ્પો છોડી નાસી છૂટ્યા છે. ભારતના સર્જિકલ સ્ટ્રાઇક પહેલાં આ કેમ્પોમાં 500થી વધુ આતંકીઓ હતા.

પાકિસ્તાન સાથેની સીમા પર ટેન્કો તૈનાત
પીઓકેમાં ભારતે કરેલા સફળ સર્જિકલ સ્ટ્રાઇક બાદ પરિસ્થિતિ વણસી શકે છે. ત્યારે અખનુર સેક્ટરના વાસ્તવિક નિયંત્રણ રેખા પાસેના પ્લાંવાલામાં બજાર ખાલી કરી દેવાયું. 42 ગામો ખાલી કરાવી સીમા પર ટેન્કો ગોઠવી દેવાનો નિર્ણય કરાયો છે.

ગાંધીજયંતિ નિમિત્તે હાઇકોર્ટે વકીલોની પદયાત્રા
આજે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા પદયાત્રા યોજવામાં આવી છે. ગાંધી આશ્રમથી શરૂ થયેલી આ પદયાત્રા હાઇકોર્ટ સુધી પહોંચી હતી. જે બાદ હાઇકોર્ટ ઓડિટોરિયમમાં પરિસંવાદ યોજાયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
