નરેન્દ્ર મોદીને PM બનાવવા NRI પણ કરશે મતદાન
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર : હવે માત્ર ભારતમાં રહેતા લોકો નહીં પણ વિદેશમાં વસતા અપ્રવાસી ભારતીયોએ પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન બનાવવા માટેનું બીડું ઉઠાવ્યું છે. આ વખતે નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા માટે એનઆરઆઇ પણ મોટી સંખ્યામાં મતદાન કરવાના છે. આ જ પરિણામે નરેન્દ્ર મોદી હવે પોતાના ચૂંટણી પ્રચારમાંથી કેટલોક સમય એનઆરઆઇ માટે પણ કાઢી રહ્યા છે અને તેમને વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ 21 સપ્ટેમ્બર, 2013 શનિવારના રોજ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમેરિકા, કેનેડા અને યુરોપમાં રહેતા ભારતીયોને સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે અમારો હેતુ ભારતને આગળ વધારવાનો છે. આ માટે તેમણે આગામી લોકસભા ચૂંટણી 2014માં કોની જીત થાય તેના પર પણ ભારપૂર્વક જણાવ્યું હતું.
નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ચૂંટણીને સત્તાસુખ મેળવવાના લક્ષ્ય તરીકે જોવી જોઇએ નહીં. ચૂંટણીઓને ભારતને પ્રગતિના પંથ પર આગળ લઇ જવાના લક્ષ્ય સાથે જોવી જોઇએ.

નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા માટે ફ્રેન્ડ્સ ઓફ બીજેપી નામની સંસ્થાની વિવિધ શાખાઓ વિવિધ દેશમાં કાર્યરત થઇ ગઇ છે. આ એકમોના માધ્યમથી ભાજપના કાર્યકર્તાઓ દુનિયાભરમાં એ ભારતીયોને મતદાન આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે જેઓ વિદેશમાં રહે છે.
NRI કેવી રીતે કરી શકે છે મતદાન?
ભારતમાં ચૂંટણી પંચે એનઆરઆઇ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. જેના અંતર્ગત એરઆરઆઇ પણ વોટ કરી શકે છે. વોટ કરતા પહેલા એનઆરઆઇએ પોતાનું નામ એનઆરઆઇ મતદાર યાદીમાં નોંધાવવાનું હોય છે. જે માટે ફોર્મ 6એ ભરવાનું હોય છે. જો મતદાર યાદીમાં નામ નોંધાઇ જાય પણ તેમાં કોઇ ભૂલ કે ખામી રહી ગઇ હોય તો તેમાં સુધારો કરવા માટે ફોર્મ 8 ભરીને જમા કરાવવાનું હોય છે.
મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે ફોર્મની સાથે એક ફોટો, પાસપોર્ટ કે વીઝાની ફોટો કોપી પણ જોડવાની હોય છે. ચૂંટણી દરમિયા વિદેશમાં રહેતા ભારતીયઓએ વોટ આપવા માટે ભારત આવવું પડતું નથી. તેઓ જે દેશના જે પણ શહેરમાં રહેતા હોય ત્યાંથી જ મતદાન કરી શકે છે. આ માટે ભારતીય ચૂંટણી પંચની વેબસાઇટ પર તમામ માહિતી ઉપલબ્ધ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
