નીતિ પંચનું સૂચનઃ દારૂ-તમાકુ મોંઘા કરો, શાળામાં યોગને પ્રોત્સાહન આપો
નીતિ પંચે તમાકુ ઉત્પાદન, દારૂ અને કોલ્ડ ડ્રિંક્સને મોંઘા કરવાનું સૂચન આપ્યુ છે. વળી, આયોગ તરફથી સૂચન આપવામાં આવ્યુ છે કે શાળાઓમાં યોગને પ્રોત્સાહન આપવુ જોઈએ.
નીતિ પંચે તમાકુ ઉત્પાદન, દારૂ અને કોલ્ડ ડ્રિંક્સને મોંઘા કરવાનું સૂચન આપ્યુ છે. વળી, આયોગ તરફથી સૂચન આપવામાં આવ્યુ છે કે શાળાઓમાં યોગને પ્રોત્સાહન આપવુ જોઈએ અને તેને રોજિંદા શાળામાં બાળકો પાસે કરાવવુ જોઈએ જેનાથી તેમની અંદર સારી આદતોનો વિકાસ કરવામાં આવી શકે. બુધવારે પંચ તરફથી સ્ટ્રેટેજી ફોર ન્યૂ ઈન્ડિયા એટ 75 જાહેર કરવામાં આવ્યુ જેમાં નીતિ પંચે કહ્યુ કે આરોગ્યના ક્ષેત્રમાં રોકાણમાં પ્રોત્સાહન આપવુ જોઈએ. વળી, સૂચન આપવામાં આવ્યુ છે કે આ ક્ષેત્રમાં જીડીપીનો 2.5 ટકા ખર્ચ કરવો જોઈએ. લોકોને સારા આરોગ્ય માટે પંચે એ વાતનો પણ સૂચન આપ્યુ છે કે ગામમાં સફાઈ અને રોજના પોષણ પર પણ વિશેષ રીતે ધ્યાન આપવાની જરૂર છે.

પૌષ્ટિક આહારનું મહત્વ
નીતિ પંચે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે ક જો ગામમાં લોકોને રોજના ભોજન પર ધ્યાન આપવામાં આવે તો આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ ઘટી થઈ શકે છે. પંચે કહ્યુ કે માત્ર બાળકોના આરોગ્ય પર ધ્યાન રાખવાના બદલે દરેક વર્ગના ભોજન અને આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. શાળા, કોલેજ, મહિલા સંસ્થાઓમાં સાંસ્કૃતિક કાર્યોક્રમો, મેળા વગેરે દ્વારા જાગૃતતા ફેલાવવાની જરૂરિયાત છે. વળી, સોશિયલ મીડિયાના માધ્યમના લોકો વચ્ચે આરોગ્ય અંગે જાણકારી આપવી જોઈએ. વળી, રાજ્ય સરકાર દ્વારા દરેક એવુ ગ્રુપ તૈયાર કરવુ જોઈએ કે જે રાજ્ય, જિલ્લા, બ્લોક સ્તર પર લોકોને આરોગ્ય અંગે જાગૃત કરો.

ખર્ચ વધારવામાં આવે
પંચ તરફથી કહેવામાં આવ્યુ છે કે ભારતમાં આરોગ્યના ક્ષેત્રમાં અપેક્ષિત રીતે ધ્યાન આપવામાં આવ્યુ નથી. લોકોને બિમારીઓ વિશે જાગૃત કરવુ, આનાથી બચવા માટે સૂચન આપવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ નથી. વર્તમાન સમયમાં આરોગ્ય માટે જાગૃત કરવાના ક્ષેત્રમાં અલગ અલગ કુલ 6.7 ટકા જ ખર્ચ કરવામાં આવે છે. વળી, લોકોના ઈલાજ પર 51 ટકા ખર્ચ કરવામાં આવે છે. જ્યારે બાકીના પૈસા દવાઓ અન્ય મેડીકલ સામાન અને દર્દીઓને લઈ જવામાં ખર્ચ જવામાં આવે છે.

વિશેષ ધ્યાન આપવાની જરૂર
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે લોકોને સારા આરોગ્ય માટે જાગૃત કરવાનું કામ અપ્રશિક્ષિત લોકો પર છોડી ન શકાય. આના માટે એક વિશેષ સંસ્થાની રચનાની જરૂર છે કે જે લોકોને સારા આરોગ્ય માટે જાગૃત કરે. વળી, પંચે મેડીકલ, નર્સિંગ, દવાઓ વગેરેનું શિક્ષણમાં પણ વિશેષ રીતે સુધારની વાત કહી છે. ડૉક્ટરોની સંખ્યામાં વધારો કરવો, નોન ફિઝિશિયન ટ્રેનિંગ, પ્રાઈવેટ સેક્ટરને આ ક્ષેત્રમાં શામેલ કરવા અને તેને પ્રોત્સાહન આપવા પર પણ ધ્યાન આપવાની જરૂર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
