નિઠારી કાંડમાં મોટો ચુકાદો, સુરિંદર કોલી 12 અને મનિંદર સિંહ પંઢેર 2 કેસમાં નિર્દોષ જાહેર, ફાંસી રદ
Nithari Kand: સમગ્ર દેશને હચમચાવી દેનારા નોઈડાના નિઠારી કેસમાં એક મોટો ચુકાદો આપવામાં આવ્યો છે અલાહાબાદ હાઈકોર્ટે સુરિન્દર કોલીને 12 કેસમાં અને મોનિન્દર સિંહ પંઢેરને આ કેસ સંબંધિત 2 કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.
હાઈકોર્ટના આ નિર્ણય સાથે, સુરિન્દર કોલી અને મોનિન્દર સિંહ પંઢેરને આપવામાં આવેલી ફાંસીની સજા હવે રદ કરવામાં આવી છે. આ કેસમાં સુરિન્દર કોલી વિરુદ્ધ કુલ 16 કેસ નોંધાયા હતા, જેમાંથી 12 કેસમાં તે દોષી સાબિત થયો હતો અને તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

આ મામલો ડિસેમ્બર 2006નો છે, જ્યારે મોનિન્દર સિંહ પંઢેરના ઘર અને તેની આસપાસ માનવ અવશેષો મળી આવ્યા હતા. આ કેસની તપાસમાં જાણવા મળ્યું છે કે મોનિન્દર સિંહ પંઢેરના ઘર અને તેની આસપાસ મળી આવેલા માનવ અવશેષો નિઠારીમાંથી ગુમ થયેલા બાળકોના હતા.
સુરિન્દર કોલીને નિઠારીમાંથી ગુમ થયેલા બાળકોના મૃતદેહો પર બળાત્કાર, હત્યા અને બાદમાં નિકાલ કરવાના આરોપમાં દોષિત ઠરાવ્યા બાદ નીચલી અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ પછી, નીચલી કોર્ટના આ નિર્ણયને હાઈકોર્ટે યથાવત રાખ્યો હતો અને 15 ફેબ્રુઆરી 2011ના રોજ સુપ્રીમ કોર્ટે પણ નીચલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.
આ કેસમાં ખાસ કરીને રિમ્પા હલદરનો કેસ સામેલ હતો, જેની હત્યા માટે સુરિન્દર કોલીને મૃત્યુદંડની સજા મળી હતી. રિમ્પા હલદરની વર્ષ 2005માં હત્યા કરવામાં આવી હતી. સુરિન્દર કોલીને સીરિયલ કિલર માનીને કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે આ કેસમાં ગુનેગાર પ્રત્યે કોઈ દયા ન દાખવી શકાય.
મોનિન્દર સિંહ પંઢેરને શ્રેણીબદ્ધ હત્યાઓ સંબંધિત આ કેસમાં કેટલાક કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય કેસોમાં તે દોષી સાબિત થયો હતો. પંઢેરે અલાહાબાદ હાઈકોર્ટમાં નીચલી અદાલતના બે કેસમાં તેમને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને પડકારી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
