નિર્ભયા રેપ કેસ: દોષી પવને હાઇકોર્ટના ફેંસલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, સરકારી વકીલે ફાંસીની તારીખ
નિર્ભયા કેસમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષી મુકેશની દયા અરજીને ફગાવી દીધી હતી. જે બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ફાઇલ દિલ્હી સરકારને મોકલી આપી છે. તિહાડ જેલ વતી સરકારી વકીલે દિલ્હી કોર્ટને જાણ કરી છે
નિર્ભયા કેસમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષી મુકેશની દયા અરજીને ફગાવી દીધી હતી. જે બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ફાઇલ દિલ્હી સરકારને મોકલી આપી છે. તિહાડ જેલ વતી સરકારી વકીલે દિલ્હી કોર્ટને જાણ કરી છે કે રાષ્ટ્રપતિએ દોષી મુકેશની દયા અરજી નામંજૂર કરી છે. સરકારી વકીલે ફાંસીના અમલ માટે નવી તારીખ અને સમય પૂરો પાડવા વિનંતી કરી છે.

દોષિ મુકેશની અરજી નામંજુર
આ કેસની સુનાવણી સાંજના 4:30 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. તિહાર જેલ પ્રશાસનને પૂછવામાં આવ્યું છે કે શું દોષી મુકેશને તેની દયા અરજી નામંજૂર થવાની જાણકારી આપવામાં આવી છે. નિર્ભયા કેસના દોષી પવન ગુપ્તાએ પણ દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે દોષિતની સગીર હોવાની અરજી નામંજૂર કરી હતી. પવનના વકીલે આ અંગે માહિતી આપી હતી.
|
નિર્ભયાની માતાએ પીએમ મોદીને કરી આ અપીલ
નિર્ભયાની માતાએ નિરાશ થઈને કહ્યું કે, હું મોદીજીને હાથ જોડીને કહેવા માંગુ છું કે 2014માં તમે કહ્યું હતું કે, બહુત હુઆ મહિલાઓ પર વાર, અબકી બાર મોદી સરકાર, વડા પ્રધાન એક બાળકીના મોતની મજાક ન થવા દો. 22મીએ ચાર દોષિતોને ફાંસી લગાડો અને બતાવો કે અમે મહિલાઓ પર અત્યાચાર ગુજારવા નહીં દઈએ. મનીષ સિસોદિયા અને પ્રકાશ જાવડેકરના નિવેદન પર તેમણે કહ્યું કે, જ્યારે આ ઘટના 2012માં બની ત્યારે આ લોકોએ હાથમાં ત્રિરંગો લીધો, સૂત્રોચ્ચાર કર્યા, રેલી કાઢી. પરંતુ હવે તે જ લોકો એક બાળકીના મોત સાથે રમી રહ્યા છે.
|
નિર્ભયાના પિતાએ દિલ્હી સરકાર પર લગાવ્યો આરોપ
નિર્ભયાના પિતાએ દિલ્હી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે જ્યાં સુધી અમે બહાર ન આવ્યા ત્યા સુધી દિલ્હી સરકાર સૂઈ રહી, છેવટે દિલ્હી સરકારે જેલના અધિકારીઓને ફાંસી માટે નોટિસ જાહેર કરવા કેમ કહ્યું નહીં, તો પછી ત્યાં સુધી તેમણે જેલ પ્રશાસનને કંઇ કહ્યું નહીં. તેમણે કહ્યું કે જો ચૂંટણી પહેલા કોઈ નિર્ણય નહીં આવે તો અરવિંદ કેજરીવાલ તેના માટે જવાબદાર રહેશે.

કેજરીવાલે આ વિશે આપ્યું નિવેદન
આ તરફ દિલ્હીના સીએમ અને આપ નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "દિલ્હી સરકાર હેઠળના તમામ કામો અમે કલાકોમાં જ પૂર્ણ કરી લીધા હતા." અમે આ બાબતે સંબંધિત કોઈપણ કામમાં વિલંબ કર્યો નથી. અમે ઈચ્છીએ છીએ કે ગુનેગારોને વહેલી તકે ફાંસી આપવામાં આવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
