Nipah: કેરળમાં નિપાહ વાયરસના 5 કેસ, 2ના મોત, લૉકડાઉન જેવા પ્રતિબંધ, ICMRએ પહોંચાડી એંટીબૉડી, જાણો અપડેટ
Nipah Virus in Kerala Update: કેરળમાં નિપાહ વાયરસને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં 30 ઓગસ્ટ અને 11 સપ્ટેમ્બરના રોજ નિપાહ વાયરસના કારણે બે લોકોના મોત થયા હતા. હાલમાં કેરળમાં પાંચ લોકો નિપાહ વાયરસથી સંક્રમિત છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
કેરળમાં નિપાહ વાયરસના વધતા કેસોનો જોતા લૉકડાઉન જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે. કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના પ્રકોપને ટાળવા માટે, વહીવટીતંત્રે નવ પંચાયતોમાં કોરોના લોકડાઉન જેવા કન્ટેન્ટ ઝોન બનાવવા પડ્યા હતા.

વર્ષ 2018થી કેરળમાં નિપાહ વાયરસનો આ ચોથો પ્રકોપ છે, જ્યારે રાજ્યમાં પ્રથમ વખત આ રોગની જાણ થઈ હતી. બે મૃત્યુની જાણ થયા પછી સત્તાવાળાઓ ઉચ્ચ જોખમવાળા સંપર્કોને ઓળખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
કેરળમાં નિપાહ વાયરસ અપડેટ્સ
1. કેરળમાં નિપાહ વાયરસના કારણે પ્રથમ મૃત્યુ 30 ઓગસ્ટના રોજ અને બીજું મૃત્યુ 11 સપ્ટેમ્બરના રોજ થયું હતું. નિપાહ વાયરસના ચેપને કારણે મૃત્યુ પામેલા બે લોકોના ઘરની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં પ્રતિબંધિત ઝોન બનાવવામાં આવ્યા છે.
2. પીટીઆઈ અનુસાર, કેરળે વધુ 11 સેમ્પલ પુણેમાં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાઈરોલોજીને પરીક્ષણ માટે મોકલ્યા હતા. જોકે, 11 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
3. કેરળ સરકારે હાઈ-રિસ્ક કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ અન્ય 15 લોકોના સેમ્પલ પણ પરીક્ષણ માટે પૂણે મોકલ્યા છે.
4. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ, RML હૉસ્પિટલ અને NIMHANSના નિષ્ણાતોની પાંચ-સભ્યોની ટીમને કેરળમાં સ્થિતિની સમીક્ષા કરવા અને નિપાહ વાયરસના સંચાલનમાં રાજ્ય સરકારને મદદ કરવા માટે તૈનાત કરવામાં આવી છે.
5. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ નિપાહ વાયરસનો સામનો કરવા માટે રાજ્યની વિનંતી પર મોનોક્લોનલ એંટીબૉડીઝ આપી છે.
6. નિપાહની સારવાર માટે સરકાર પાસે એંટીવાયરલ એકમાત્ર વિકલ્પ ઉપલબ્ધ છે, જો કે તબીબી ટીમ પણ તે કેટલી અસરકારક છે તે દાવો કરી શકતી નથી.
7. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે એંટીવાયરલની સ્થિરતા અંગે કેન્દ્રીય નિષ્ણાત સમિતિ સાથે ચર્ચા કરવામાં આવી છે.
8. નિપાહ વાયરસના નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે એક મોબાઈલ BSL-3 (બાયોસેફ્ટી લેવલ-3) લેબોરેટરી પણ ગ્રાઉન્ડ ઝીરો પર મોકલવામાં આવી હતી.
9. કેરળ સરકારે અગાઉ નિપાહ વાયરસથી સંક્રમિત થયેલા તમામ લોકોના સેમ્પલ લેવાનો નિર્ણય કર્યો છે.
10. WHO મુજબ, નિપાહ વાયરસ એક ઝૂનોટિક રોગ છે, જે પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાય છે. નિપાહ ખાસ કરીને ચામાચીડિયા દ્વારા ફેલાય છે. તે મગજ અને શ્વસન પ્રક્રિયા પર સીધો હુમલો કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
