નિપાહ વાયરસના મૃતકોના અંતિમ સંસ્કાર કરવાથી ડરી રહ્યા છે પરિવાર
ખતરનાક વાયરસની ચપેટમાં આવીને જીવ ગુમાવનારના પરિવારજનો પણ તેમનાથી દૂર ભાગી રહ્યા છે. સ્થિતિ એ છે કે પરિવારના લોકો વાયરસથી જીવ ગુમાવનારના અંતિમ સંસ્કાર કરવાથી પણ ડરી રહ્યા છે.
એવુ ઘણી વાર સાંભળવામાં આવ્યુ છે કે ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે પરંતુ કેરળના કોઝીકોડમાં આ વાત સાચી થતી જોવા મળી રહી છે. કેરળમાં ખતરનાક નિપાહ વાયરસે કાળો કહેર વરસાવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આ ખતરનાક વાયરસની ચપેટમાં આવીને જીવ ગુમાવનારના પરિવારજનો પણ તેમનાથી દૂર ભાગી રહ્યા છે. સ્થિતિ એ છે કે પરિવારના લોકો વાયરસથી જીવ ગુમાવનારના અંતિમ સંસ્કાર કરવાથી પણ ડરી રહ્યા છે. આવી સ્થિતિમાં ડૉક્ટરો જ આગળ આવ્યા છે. તેઓ માનવતાનું ઉદાહરણ પૂરુ પાડીને આ ગંભીર વાયરસના કારણે જીવ ગુમાવનાર લોકોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે.

નિપાહનો કાળો કહેર, પોતાના છોડી રહ્યા છે સાથ
નિપાહ વાયરસના કારણે જ્યારે પોતાના પણ સાથ છોડી રહ્યા છે એવી પરિસ્થિતિમાં કોઝીકોડ નિગમના સ્વાસ્થ્ય અધિકારી ડૉ. આર એસ ગોપકુમારે મોટી જવાબદારી સંભાળી છે. તેમણે નિપાહ વાયરસની ચપેટમાં આવીને જીવ ગુમાવનાર 12 મૃતદેહોના અંતિમ સંસ્કારની જવાબદારી લીધી છે. ડૉ. આર એસ ગોપકુમારે આ લોકોના અંતિમ સંસ્કાર પર પૂરી નજર રાખી છે.

ડૉ. ગોપકુમારે સંભાળી મોટી જવાબદારી
ડૉ. આર એસ ગોપકુમારે જણાવ્યુ કે તેમણે એક 17 વર્ષના કિશોરના અંતિમ સંસ્કાર કર્યા. તેનું મોત નિપાહ વાયરસના કારણે થયુ હતુ. તેની માતા ને પણ વાયરસના સંક્રમણની આશંકા છે અને તેને અલગ વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. તે માતાએ પણ પોતાના દીકરાને છેલ્લી વાર જોયો નહિ અને ડૉ. ગોપકુમારને અંતિમ સંસ્કારનો આદેશ આપી દીધો.

12 લોકોના અંતિમ સંસ્કારની લીધી જવાબદારી
ડૉ. ગોપકુમારે જણાવ્યુ કે જ્યારે હું 17 વર્ષના કિશોરના અંતિમ સંસ્કાર કરવા જઈ રહ્યો હતો ત્યારે ખૂબ દુઃખી હતો કારણકે તેનું કોઈ પણ પોતાનું તેની અંતિમ યાત્રામાં નહોતુ. જો કે મે આ વિશે ફરીથી ના વિચાર્યુ અને તે કિશોરના અંતિમ સંસ્કાર કર્યા. એ મારુ કર્તવ્ય હતુ અને મે તે પૂરી ગંભીરતાથી નિભાવ્યુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
