એનડીટીવીએ સરકારનો નિર્ણય પડકાર્યો, પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યુ
હિંદી ન્યૂઝ ચેનલ એનડીટીવી ઇંડિયા પર આરોપ છે કે તેણે પઠાણકોટ હુમલા દરમિયાન એવી સંવેદનશીલ માહિતી પ્રસારિત કરી હતી જેનાથી આતંકવાદીઓને મદદ મળી શકતી હતી...
ચેનલ પર એક દિવસના પ્રતિબંધ અંગે એનડીટીવી ઇંડિયાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. એનડીટીવીએ કોર્ટમાં સરકાર ( સૂચના અને પ્રસારણ મંત્રાલય) ના નિર્ણયને પડકારતી એક ફરિયાદ દાખલ કરી છે. તમને જણાવી દઇએ કે એનડીટીવી ઇંડિયા પર એક દિવસના પ્રસારણના પ્રતિબંધ મુદ્દે રાજકારણ ગરમાયુ છે. હવે જોવાનું એ છે કે કોર્ટ આ મામલે શું નિર્ણય આપે છે.

કેમ લાગ્યો પ્રતિબંધ
હિંદી ન્યૂઝ ચેનલ એનડીટીવી ઇંડિયા પર આરોપ છે કે તેણે પઠાણકોટ હુમલા દરમિયાન એવી સંવેદનશીલ માહિતી પ્રસારિત કરી જેનાથી આતંકવાદીઓને મદદ મળી શકતી હતી. સરકારે નિયમોના ઉલ્લંઘનના આરોપમાં એનડીટીવી ઇંડિયા પર એક દિવસનો પ્રતિબંધ લગાવ્યો છે.

ઝી ના સુભાષ ચંદ્રાએ પ્રતિબંધને વાજબી ઠેરવ્યો
આ પહેલા ઝી મીડિયા ગ્રુપના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ એનડીટીવી ઇંડિયા પર લાગેલા પ્રતિબંધને વાજબી ઠેરવ્યો હતો અને કહ્યું હતુ કે તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દેવો જોઇએ. ચંદ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે એનડીટીવી ઇંડિયા પર એક દિવસીય પ્રતિબંધ નાઇંસાફી છે, આ સજા બહુ જ ઓછી છે. દેશની સુરક્ષા સાથે રમત રમવા બદલ તેના પર આજીવન પ્રતિબંધ લાગવો જોઇએ. વધુમાં તેમણે લખ્યુ કે મને તો એ પણ વિશ્વાસ છે કે જો એનડીટીવી ઇંડિયા ન્યાયાલયમાં જશે તો તેને ત્યાં પણ ફટકાર મળશે.

કાત્જૂએ કહ્યુ એનડીટીવી પર પ્રતિબંધ ગેરકાયદેસર, માત્ર રિપોર્ટિંગ કર્યુ હતુ
આ મુદ્દે શનિવારે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કંડેય કાત્જૂએ આ પ્રતિબંધને ગેરકાયદેસર ગણાવતા પોતાના બ્લોગ સત્યમ બ્રુયાતમાં કેબલ ટીવી નેટવર્ક રુલ 1994 હેઠળ રુલ નંબર 6 (1) (P) નો ઉલ્લેખ કરતા લખ્યુ હતુ કે, 'મે રવિશકુમાર સાથે વાતચીત કરી છે. આ પ્રતિબંધ ગેરકયદેસર છે. કાયદા પ્રમાણે સુરક્ષાબળો તરફથી આતંકવાદ વિરોધી કોઇ પણ ઓપરેશનના લાઇવ કવરેજને કોઇ પણ પ્રોગ્રામ કેબલ સર્વિસ પર ન લેવાય. મીડિયા માત્ર એ જ પ્રસારિત કરી શકે જે ઓપરેશન પૂરુ થયા બાદ સરકાર જાણકારી આપે. લાઇવ કવરેજનો મતલબ છે કે એવા દ્રશ્યો બતાવવા કે જેમાં સુરક્ષા બળો આતંકવાદીઓની સર્ચ કરી રહ્યા હોય કે તેમની સાથે લડી રહ્યા હોય. આતંકવાદ વિરોધી ઓપરેશનનું માત્ર રિપોર્ટિંગ કરવુ લાઇવ કવરેજ નથી. તેમણે લખ્યુ કે એનડીટીવીએ આતંકી ઓપરેશનનું માત્ર રિપોર્ટિંગ કર્યુ હતુ. એવુ કોઇ દ્રશ્ય બતાવવામાં નથી આવ્યુ જેમાં સુરક્ષા બળો આતંકવાદીઓનો પીછો કરી રહ્યા હોય કે તેમની સાથે લડી રહ્યા હોય. એવામાં આ પ્રતિબંધ સ્પષ્ટ રીતે ગેરકાયદેસર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
