Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NCP એ ગેસે સિલિન્ડરના ભાવ ઘડાટાને જુમલો ગણાવ્યો, કહ્યું-500-700 ઘટવા જોઈતા હતા

મોંઘવારીની માર વચ્ચે કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. પહેલા સતત વધારા બાદના મામુલી ઘટાડાને વિપક્ષી પાર્ટીઓએ જુમલો ગણાવ્યો છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત બાદ રાજનીતિ ગરમાઈ છે. હવે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડરના લાભાર્થીઓને 400 રૂપિયાની સબસિડી મળશે. આ સાથે જ વિપક્ષે મોદી સરકારના આ પગલાને ઘેરવાનું શરૂ કરી દીધું છે.

supriya sule

એનસીપીના કાર્યકારી અધ્યક્ષ અને સાંસદ સુપ્રિયા સુલેએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડા અંગે કહ્યું કે, આ જુમલા સરકાર છે. જો તમે રૂ.200 ઘટાડશો તો શું થશે? અમારી સરકાર હતી ત્યારે સિલિન્ડરની કિંમત 400 રૂપિયા હતી, આજે 1150 રૂપિયા છે.

તેમણે વધુમાં કહ્યું કે, તે 500 કે 700 રૂપિયા ઘટાડવા જોઈતા હતા. આ બધું ચૂંટણી જુમલા છે. તેમણે સાડા ચાર વર્ષ સુધી મોંઘવારી વિશે ન વિચાર્યું. કર્ણાટકની જનતાએ તેમને મોંઘવારી અને બેરોજગારીના કારણે નકારી દીધા, કેન્દ્ર સરકાર ડરી ગઈ છે.

જણાવી દઈએ કે, આવનારી લોકસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા ઈન્ડિયા ગઠબંધનની ગતિવિધીઓથી બીજેપીમાં ડરનો માહોલ છે. આ જ કારણ છે કે હવે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X