સિદ્ધુનો સુષ્માને પત્ર, કરતારપુર કૉરિડોર માટે માન્યો આભાર
પંજાબની કોંગ્રેસ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પત્ર લખીને કરતારપુર સાહિબ કૉરિડોર માટે આભાર માન્યો છે.
પંજાબની કોંગ્રેસ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પત્ર લખીને કરતારપુર સાહિબ કૉરિડોર માટે આભાર માન્યો છે. પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને શિરોમણિ અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે કરતારપુર ગલિયારા નિર્માણ માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.

સિદ્ધુનો સુષ્માને પત્ર
નવજોત સિંહ સિદ્ધુએ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પત્રમાં લખ્યુ છે, ‘શીખો અને પંજાબના લોકો માટે આ એક સપનુ સાચા થવા બરાબર છે. હું આના માટે કેન્દ્ર સરકારે ઉઠાવેલા પગલાંની પ્રશંસા કરુ છુ. અમે આ દિશામાં પોતાના પગરણ માંડીને આસ્થા અને ક્ષેત્ર માટે પ્રેમનો એક નવો અધ્યાય લખ્યો છે. હું ઈશ્વરને પ્રાર્થના કરુ છુ અને આશા કરુ છુ કે આ કાર્ય નિર્વિવાદ અને યોગ્ય ફેરફાર સાથે પાક સાથેના આપણા સંબંધોમાં નરમી લાવવાનું કામ કરશે. આ એક પુલની જેમ વૈમનસ્યતા ભૂલાવીને બંને પડોશી દેશો માટે શાંતિનું કામ કરશે.'

પાક પીએમની પણ પ્રશંસા કરી નવજોત સિંહ સિદ્ધુએ
સિદ્ધુએ ભારતની સરકારની સાથે સાથે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પણ પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ કે બંદો પરખેલો છે અને ઈચ્છે છે કે બંને દેશો વચ્ચે સંબંધો સારા થાય. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ઈમરાન ખાન 28 નવેમ્બરના રોજ અને ભારતમાં રાષ્ટ્રપતિ કોવિંદ અને પંજાબના સીએમ અમરિંદર સિંહ 26 નવેમ્બરે કૉરિડોરનું શિલાન્યાસ કરશે.

ઈમરાને સિધ્ધુને બોલાવ્યા
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કરતારપુર સાહિબ કૉરિડોર શિલાન્યાસ સમારંભ માટે પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુને આમંત્રણ આપ્યુ છે. ઈમરાન ખાને સિદ્ધુને પાકિસ્તાન આવીને કૉરિડોરના શિલાન્યાસ સમારંભમાં શામેલ થવા માટે આમંત્રણ આપ્યુ છે. સિદ્ધુએ કહ્યુ કે જો પાકિસ્તાનના પીએમ કરતારપુર કૉરિડોરના શિલાન્યાસમાં બોલાવશે તો તે જરૂર જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
