NGTએ એલજી પૉલિમર્સને જારી કરી નોટિસ, 50 કરોડ રૂપિયા જમા કરાવવાના નિર્દેશ

શુક્રવારે એનજીટીએ એલજી પૉલિમર્સ ઈન્ડસ્ટ્રીને નોટિસ જારી કરી છે.

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી લગભગ 30 કિમી દૂર વેંકટપુરમ ગામમાં ગુરુવારે એલજી પૉલિમર્સ ઈન્ડસ્ટ્રીના કેમિકલ પ્લાન્ટમાં થયેલ ગેસ લીકેજથી એક ડઝનથી વધુ લોકોના મોત થઈ ગયા છે. સેંકડો લોકો હોસ્પિટલમાં ભરતી છે. આ દરમિયાન શુક્રવારે એનજીટીએ એલજી પૉલિમર્સ ઈન્ડસ્ટ્રીને નોટિસ જારી કરી છે. આ સાથે જ એનજીટીએ પૂર્વ ન્યાયાધીનની અધ્યક્ષતામાં એક પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે.

gas

એનજીટી અધ્યક્ષ ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી એનજીટી શુક્રવારે આ મામલે સ્વતઃ જાણવાજોગ લઈને એલજી પૉલિમર્સ, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ જારી કરી છે. આ સાથે જ વાયઝેક ગેસ લીક મામલે તપાસ માટે આંધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે.

આ સાથે જ એનજીટીએ વિશાખાપટ્ટનમમાં ગેસ લીકના કારણે થયેલ નુકશાનની અવેજીમાં એલજી પૉલિમરને 50 કરોડ રૂપયિયાની પ્રારંભિક રકમ વિશાખાપટ્ટનમના જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે જમા કરવાના નિર્દેશ આપ્યા છે. આ તરફ ગેસની અસરને ઘટાડવા માટે ગુજરાતથી કેમિકલ પેરા ટર્શરી બ્યુટાઈલ કેટકૉલ(પીટીબીસી) મંગાવાયુ છે. મોડી રાતે એર ઈન્ડિયાનુ એક કાર્ગો પ્લેન આને લઈને વિશાખાપટ્ટનમ પહોંચ્યુ.

પીટીબીસી ગુજરાતના વાપી અને વલસાડ જિલ્લામાં બને છે. જ્યારે તેનો હવામાં છંટકાવ કરવામાં આવે છે ત્યારે તે કોઈ પણ પ્રકારની ગેસની અસરને ઘટાડી દે છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમાં ગુરુવારે સવારે થયેલી ગેસ લીકમાં 11 લોકોના મોત થઈ ગયા. આ દૂર્ઘટનાનુ કારણ જાણવાા માટે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત મૃતકોના પરિવારવાળાને એક કરોડ રૂપિયાનુ વળતર આપવાની ઘોષણા કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X