મોદીની લખનઉ મહારેલી માટે 27 ટ્રેન બુક કરાવશે ભાજપ
લખનઉ, 9 જાન્યુઆરી: 2 માર્ચના રોજ લખનઉમાં યોજાનારી ભાજપની મહારેલી માટે પ્રદેશ પ્રભારી ત્રણ દિવસથી રાજધાનીમાં જ છે. કહેવામાં આવી રહ્યું છે કે કાર્યકર્તાઓને પ્રદેશના જુદાજુદા વિસ્તારોમાંથી લાવવા માટે 27 નવી રેલગાડીઓનું બુકિંગ કરવામાં આવ્યું છે. રેલીને સફળ બનાવવા માટે પાર્ટીના પદાધિકારીઓની બેઠકો મળી રહી છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી લખનઉમાં બે માર્ચના રોજ યોજાનારી વિજય શંખનાદ મહારેલીમાં ભીડ એકત્રીત કરવા માટે તમામ સંગઠન મંત્રિયો અને પદાધિકારીઓની જવાદારીઓ નક્કી કરવામાં આવી રહી છે.
ભાજપના પ્રદેશ પ્રવક્તા વિજય બહાદુર પાઠકે જણાવ્યું કે સહારનપુર, મુઝફ્ફરનગર, મેરઠ, વારાણસી, મથુરા, ચિત્રકૂટ, લલિતપુર, આઝમગઢ, ગોરખપુર, દેવરિયા, સોનભદ્ર, વગેરે સ્થળોથી રાજધાની માટે ટ્રેઇન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રાજ્યના દસ જિલ્લા યોજાનારી આ બેઠકોમાં પ્રદેશ પ્રભારી અમિત શાહ ઉપરાંત સહ પ્રભારી ત્રિવેન્દ્ર રાવત, કે અભિમન્યુ, સિંહ, રામેશ્વર ચૌરસિયા, સત્યેન્દ્ર કુશવાહા, રમાપતિરામ ત્રિપાઠી, લક્ષ્મીકાંત વાજપેઇ પણ હાજર રહેશે.

હજી સુધી મોદી કાનપુર, ઝાંસી, વારાણસી, આગરા અને બહરાઇચમાં રેલિયો કરી ચૂક્યા છે, આશા સેવવામાં આવી રહી છે કે લખનઉ મહારેલીમાં આઠથી દસ લાખ લોકો એકત્રીત થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
