માં પછી પત્નીનો પણ નોટબંધી પર PM મોદીને મળ્યો સાથ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નોટબંધીના નિર્ણયનું સમર્થન કર્યું છે. જાણો જશોદાબેન આ અંગે શું કહ્યું....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કર્યાને આજે 40 દિવસ થઇ ગયા. નોંધનીય છે કે નોટબંધી બાદ નરેન્દ્ર મોદીની માતા હિરાબાએ તેમના પુત્રના આ નિર્ણયનું સમર્થન કર્યું હતું. તે બાદ હવે તેમની પત્ની જશોદાબેને પણ આ વાતનું સમર્થન કર્યું છે.

જશોદાબેન કહ્યું છે કે નોટબંધીથી મોદીએ ભષ્ટ્રાચાર અને કાળાં નાણાં પર ચોટદાર પ્રહાર કર્યો છે. વધુમાં પીએમના પત્ની જશોદાબેને નોટબંધી પર મોદીના આ નિર્ણયને દેશહિતમાં લેવામાં આવેલ નિર્ણય ગણાવ્યો છે. અને આશા વ્યક્ત કરી છે કે કેન્દ્ર સરકાર દેશના વિકાસમાં આ જ રીતે શ્રેષ્ઠ કામ કરતી રહે.
દિ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી ખબર મુજબ રાજસ્થાનના કોટોમાં એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલી હતી ત્યારે તેમણે આ અંગે પોતાનું મંતવ્ય આપ્યું હતું. જશોદાબેન જણાવ્યું હતું કે 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લાગવાથી કાળા નાણાં અસર થશે અને તેનાથી વિદેશોમાં જમા કાળાનાણાંને દેશમાં લાવવામાં પણ મદદ મળશે. તેમણે કહ્યું કે મોદી સરકારના કામથી તે ખુબ જ ખુશ છે અને આવનારા સમયમાં તેમને મોદી સરકારની મોટી આશાઓ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
