જે ભાજપ કાર્યકર્તાઓની થઈ હત્યા, તેમના પરિજનોને પીએમ મોદીએ શપથગ્રહણમાં બોલાવ્યા
શપથગ્રહણ સમારંભ માટે બંગાળ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિજનોને આમંત્રણ આપવામાં આવ્યુ છે.
નરેન્દ્ર મોદી બીજી વાર પ્રધાનમંત્રી પદની શપથ લેવા જઈ રહ્યા છે. શપથગ્રહણ કાર્યક્રમ માટે લગભગ બધી તૈયારીઓ થઈ ચૂકી છે. ગુરુવારે (30 મે) સાંજે 7 વાગે નરેન્દ્ર મોદી શપથ લેશે. મહેમાનોની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે અને આમંત્રણ પણ મોકલી દેવામાં આવ્યા છે. શપથગ્રહણ સમારંભ માટે બંગાળ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિજનોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. 16 જૂન 2013 બાદ માર્યા ગયેલા 54 લોકોના પરિજનોને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. ભાજપના આ પગલાને રાજ્યમાં બે વર્ષ પછી યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી કેડર માટે મહત્વના સંદેશ રૂપે જોવામાં આવી રહ્યુ છે.

અંગ્રેજી વેબસાઈટ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર મુજબ બધાને ટ્રેનથી દિલ્લી લાવવામાં આવશે. પ્રવાસ અને દિલ્લી પ્રવાસ દરમિયાન તેમનુ ધ્યાન રાખવાની જવાબદારી વરિષ્ઠ પાર્ટી નેતાઓને આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી પોતે ભાજપ કાર્યકર્તાઓની હત્યાનો ઉલ્લેખ પોતાના ભાષણમાં કરતા રહ્યા છે. ચૂંટણીમાં જીત બાદ સોમવારે જ્યારે મોદી પહેલી વાર વારાણસી પહોંચ્યા તો તેમણે હિંસાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ, 'દેશમાં રાજકીય અછૂતપણુ વધ્યુ છે. અમારા સેંકડો કાર્યકર્તાઓની હત્યા થઈ છે. પશ્ચિમ બંગાળમાં હત્યાઓનો દોર હજુ પણ ચાલુ છે.'
Midnapore: Kin of BJP workers (who were killed in West Bengal in political violence) invited to the swearing-in ceremony of PM Narendra Modi. Son of Late Manu Hansda says,"My father was killed by TMC goons. We are happy that we are going to Delhi. There's peace in our area now." pic.twitter.com/P0uR6bBLXp
— ANI (@ANI) 29 May 2019
ઉલ્લેખનીય છે કે મોદીના બીજા કાર્યકાળ માટે યોજાનાર શપથગ્રહણ સમારંભમાં બધા રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને મુખ્ય વિપક્ષી દળોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. જે વિપક્ષી નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, જદ (એસ) નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી અને આપ પ્રમુખ તથા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ શામેલ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
