નરેન્દ્ર મોદીએ સંસદ ભવનનું ઉદ્ઘાટન કરી સ્પીકરની ખુરશી પાસે 'સેંગોલ' સ્થાપિત કર્યું
હવન-પૂજા અને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 28 મેના રોજ નવાં સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન હવન-પૂજામાં નરેન્દ્ર મોદી સાથે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા. ધાર્મિક અનુષ્ઠાન બાદ પીએમ મોદીને ઐતિહાસિક સેંગોલ સોંપવામાં આવ્યું, જેને પીએમ મોદીએ સંસદ ભવનમાં લોકસભા અધ્યક્ષની ખુરશી પાસે સ્થાપિત કરી દીધું છે.

સંસદ ભવનમાં ઐતિહાસિક સેંગોલની સ્થાપના બાદ પીએમ મોદીએ તમિલનાડુના વિવિધ અધીમ સંતોના આશિર્વાદ પ્રાપ્ત કર્યા. જણાવી દઈએ કે પીએમ મોદી નવા સંસદ ભવનના ઉદ્ઘાટન માટે રવિવારે 28 મેની સવારે 7 વાગ્યે પહોંચી ગયા. સમારોહની શૂઆત ધાર્મિક અનુષ્ઠાન સાથે થઇ, જે એક કલાક સુધી ચાલી. પૂજામાં પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર છે.
ધાર્મિક અુષ્ઠાન બાદ પીએમ મોદીને ઐતિહાસિક સેંગોલ સોંપવામમાં આવ્યું. સેંગોલને પીએમ મોદીએ સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ભવનની અંદર જ સ્થાપિત કર્યું. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર રહ્યા.
#WATCH | PM Modi installs the historic 'Sengol' near the Lok Sabha Speaker's chair in the new Parliament building pic.twitter.com/Tx8aOEMpYv
— ANI (@ANI) May 28, 2023
સમાચાર એજન્સી એએનઆઇએ સેંગોલ સ્થાપના અને હવન-પૂજાનો વીડિયો પણ શેર કર્યો છે. એએનઆઇના અહેવાલો મુજબ પીએમ મોદીએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન બાદ ભવનના નિર્માણમાં કામ કરતા શ્રમિકોને પણ સમ્માનિત કર્યા.
જણાવી દઈએ કે સેંગોલનો આધુનિક ઈતિહાસ ભારતની આઝાદી સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. તત્કાલીન પીએમ જવાહર લાલ નેહરુને સત્તા હસ્તાંતરણના પ્રતીકના રૂપમાં સેંગોલ સોંપવામાં આવ્યું હતું. ઉપરાંત જો પ્રાચીન ઈતિહાસ પર નજર નાખીએ તો સેંગોલના સૂત્ર ચોલ રાજ શાસન સાથે જોડાય છે, જ્યાં સત્તાનો ઉત્તરાધિકાર સોંપતાં પૂર્વ રાજા, નવા બનેલા રાજાને સેંગોલ સોંપતા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે પૂજા બાદ ગણમાન્ય લોકો નવા ભવનમાં લોકસભાના કક્ષ અને રાજ્યસભાના કક્ષના પરિસરનું નિરીક્ષણ કરશે. સવારનો પહેલો તબક્કો 9:30 વાગ્યે સમાપ્ત થશે, જે બાદ સમારોહનો બીજો તબક્કો બપોરે પીએમ મોદી સહિત તમામ ગણમાન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિમાં લોકસભા કક્ષમાં રાષ્ટ્રગાનના ગાયન સાથે શરૂ થવાની ઉમ્મીદ છે.
બપોરે 11:30 વાગ્યે સંસદના સભ્ય, લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભા અધ્યક્ષ તથા અન્ય વિશિષ્ટ મહેમાનો સહિત તમામ આમંત્રિતોને નવા ભવનમાં લોકસભા કક્ષમાં બેસશે. સમાચાર એજન્સી એએનઆઇ મુજબ ઉપ રાજ્યસભા સભાપતિ હરિવંશ દ્વારા ભાષણ આપવામમાં આવશે, જે રાજ્યસભાના સભાપતિ, જગદીપ ધનખડ તરફથી એક લેખિત શુભેચ્છા સંદેશ વાંચશે. આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો લેખિત સંદેશ પણ વાંચવામાં આવશે.












Click it and Unblock the Notifications
