ગરીબોની થાળીમાંથી ભોજન છીનવી લેનાર છે ફૂડ સિક્યોરિટી બિલ: મોદી
નવી દિલ્હી, 13 ઓગષ્ટ: ખાદ્ય સુરક્ષા બિલને લઇને હવે નરેન્દ્ર મોદીએ યૂપીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. અમદાવાદમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદીએ ખાદ્ય સુરક્ષા બિલને ગરીબ વિરોધી ગણાવતાં કહ્યું હતું કે યૂપીએ સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા ફૂડ સિક્યોરિટી બિલને ગરીબો માટે નુકસાનકારક છે. આ યોજના ગરીબો સુધી અનાજ પહોંચાડનારી નથી પરંતુ તેમની થાળીમાંથી અન્ન છીનવી લેનાર છે.
તેમને કહ્યું હતું કે અત્યારે અંત્યોદય યોજના હેઠળ પાંચ સભ્યોવાળા દરેક ગરીબ પરિવારને મહિને 35 કિલો અનાજ મળે છે. ફૂડ સિક્યોરિટી બિલ હેઠળ તે પરિવારને દર મહિને માત્ર 25 કિલો અનાજ મળશે. એટલે દરેક ગરીબ પરિવારને દર મહિને મળનાર અનાજમાં 10 કિલોનો કાપ થવાનો છે.

તેમને સમાચાર ચેનલ પર પ્રસારિત પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ફૂડ સિક્યોરિટી બિલથી સામાન્ય લોકો પર નાણાંકીય બોજો વધવાનો છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ એમપણ કહ્યું હતું કે ફૂડ સિક્યોરિટી બિલ પોષ્ટિકતાની દ્રષ્ટિએ યોગ્ય નથી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જો સરકાર ખરેખર ગરીબોનું ભલું કરવા માંગતી હોય તો આ બિલ પર સંસદમાં ચર્ચા થવી જોઇએ અને સર્વસંમતિ બાદ આ કાયદો લાગૂ કરવો જોઇએ.
ભાજપા તરફથી પાર્ટી પ્રવક્તા શાહનવાજ હુસૈને પણ આ કાયદા પર ચર્ચા કરવાની માંગણી કરી હતી. કોંગ્રેસનો દાવો છે કે ખાદ્ય સુરક્ષા બિલ લાગૂ થયા બાદ દેશના 81 કરોડ લોકોને ફાયદો પહોંચશે અને ગરીબ લોકોને 1 રૂપિયામાં કિલો અનાજ, 2 રૂપિયામાં કિલો ઘઉં અને 3 રૂપિયામાં કિલો ચોખા મળશે પરંતુ આ કાયદાની કેટલીક વસ્તુઓ સાથે વિરોધી પક્ષ સહમત નથી. જો કે આ મુદ્દે ઝઘડો ચાલી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
