મુઝફ્ફરનગરના રમખાણોએ 43000ને બેઘર બનાવ્યાં
મુઝફ્ફરનગર, 13 સપ્ટેમ્બર : ઉત્તરપ્રદેશના હિંસાગ્રસ્ત મુઝફ્ફરનગરમાં કરફ્યુ લગાવ્યા બાદ આજે ચોથો દિવસ શાંતિથી પસાર થઇ રહ્યો છે. આ ઘટનાની દુ:ખદ બાબત એ છે કે આ ઘટનાને પગલે અંદાજે 43,000 લોકો બેઘર બન્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી 12 કલાકની છુટ આપવામાં આવી છે. જ્યારે સ્થિતિ સંપૂર્ણ કાબુમાં આવી જશે ત્યારે કરફ્યુ ઉઠાવી લેવામાં આવશે. જો કે આ સપ્તાહાંત સુધી રાત્રિ કરફ્યુ ચાલુ રાખવામાં આવશે.
મુઝફ્ફરનજર જિલ્લા અધિકારીના જણાવ્યા અનુસાર મુઝફ્ફરનગર અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા અંદાજે 43000 લોકોએ રમખાણોમાં પોતાના ઘર ગુમાવ્યા છે. આ લોકોને નજીકમાં તૈયાર કરવામાં આવેલા 38 જેટલા આશ્રયસ્થાનોમાં આશરો આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારે વિવિધ કેટેગરી જેમ કે મૃતકો, ઘવાયેલાઓ અને રમખાણ અસરગ્રસ્તો માટે વિવિધ સહાયની જાહેરાત કરી છે. આત્યાર સુધીમાં આ અંતર્ગત 3.1 કરોડ રૂપિયાની રકમ ચૂકવી દેવામાં આવી છે.

પોલીસ તંત્ર દ્વારા વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે અંદાજે 10000 લોકોની અટકાયત કરી છે. જ્યારે 70 લોકો સામે એફઆઇઆર નોંધી છે. જો કે જેમની સામે એફઆઇઆર નોંધવામાં આવી છે તેમાંથી એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે 27 ઓગસ્ટના રોજ મુઝફ્ફરનગરમાં એક યુવતીની છેડતી બાદ મામલો બીચક્યો હતો અને રમખાણો ફાટી નીકળ્યા હતા. નવી દિલ્હીથી 130 કિલોમીટર દૂર આવેલા મુઝફ્ફરનગરમાં ફાટી નીકળેલી હિંસા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને સત્તામાં રહેલી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે વિરોધી પાર્ટીઓને આ માટે જવાબદાર ઠેરવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
