Election Express: મુસ્લિમો કોમ્યુનલ બનેઃ શાઝિયા ઇલ્મી, પાર્ટીએ હાથ ઉંચા કર્યા
દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ સર્જાઇ ગયો છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે રેલીઓ અને સભાઓ કરવામાં લાગી ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. જોકે આ પ્રસંગે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ ના લાગે તો જ નવાઇ. વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી તમામ રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશે.
આજે દેશના રાજકારણમાં કંઇ ઉથલપાથલ સર્જાઇ અને કઇ ઘટનાઓ ઘટી તે તમામ જાણકારીઓથી માહિતગાર થવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ...

મુસ્લિમો કોમ્યુનલ બનેઃ શાઝિયા ઇલ્મી, પાર્ટીએ હાથ ઉંચા કર્યા
આમ આદમી પાર્ટીના નેતા શાજિયા ઇલ્મીના એક વીડિયોથી બબાલ મચી ગઇ છે. વીડિયોમાં શાજિયા મુસ્લિમ નેતાઓને કહી રહ્યાં છેકે, મુસ્લિમોએ આટલું સેક્યુલર રહેવું ના જોઇએ. તેમણે કોમ્યુનલ થવું જોઇએ. તેમના આ નિવેદનની આમ આદમી પાર્ટીએ નિંદા કરી છે. પાર્ટીએ શાજિયાના નિવેદનથી હાથ ઉંચો કરી દીધો છે અને કહ્યું છેકે શાજિયા યોગ્ય શબ્દોનો પ્રયોગ કરે.

બની પ્રસાદ વર્માનો મોદી પર શાબ્દિક પ્રહાર
સુલ્તાનપુરના જયસિંઘપુરમાં એક સભા દરમિયાન કોંગ્રેસના નેતા બેની પ્રસાદ વર્માએ મોદી પર શાબ્દિક પ્રહાર કર્યો છે. તેમણે કહ્યુંકે ભાજપના પીએમ પદના ઉમેદવારનો ઇતિહાસ બતાવે છે કે મોદી નાનપણમાં ઘરેથી ભાગી ગયા હતા, ખાવા પીવાનું ઠેકાણું નહીં હોય એટલે ચા વેચી હતી અને ઝાડુ લગાવ્યું હતું. મોદી આવારા રહ્યાં હશે તેથી જ તો તેમણે ઘર છોડી દીધું હતું.

કેજરીવાલ વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરશે
આમ આદમી પાર્ટી સંયોજક અને વારાણસીથી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા અરવિંદ કેજરીવાલે આજે પોતાનું ઉમેદવાર પત્ર દાખલ કરશે. કેજરીવાલ 11 વાગ્યે ઉમેદવારી પત્ર ભરશે. આ માટે પાર્ટીના કાર્યકર્તાઓએ તૈયારી કરી લીધી છે. વારાણસીમાં મોદી ઉપરાંત કોંગ્રેસના બાહુબલી નેતા અજય રાય પણ ચૂંટણી લડી રહ્યાં છે.

ભાજપના નેતા ગિરિરાજ વિરુધ્ધ બિનજામીની વોરંટ જારી
ભાજપના નેતા ગિરિરાજ સિંહની તેમના વિવાદાસ્પદ નિવેદન માટે ટૂંક સમયમાં જ ધરપકડ થઇ શકે છે. આ સંકેત ચૂંટણી પંચના એક અધિકારીએ મંગળવારે આપી છે. ગિરિરાજે કહ્યું હતું કે ભાજપ નેતા નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારાઓને પાકિસ્તાન મોકલવામાં આવશે. તેમની સામે બિનજામીની વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
