મુકેશ અંબાણીએ ડોનાલ્ડ ટ્રંપને ભારત માટે કહ્યા વરદાનરૂપ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ભારત માટે વરદાન સાબિત થઇ શકે છે. તેમણે આઇટી ઇન્ડસ્ટ્રીને ટ્રંપના વલણને વરદાન તરીકે સ્વીકારવાની સલાહ આપી છે.
એક બાજુ આખું વિશ્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ના વલણને લઇને દુઃખી છે તો બીજી બીજુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના માલિક મુકેશ અંબાણી ની વિચારસરણી જરા અલગ છે. તેમનું માનવું છે કે, ટ્રંપ ભારત અને અહીંની ઇન્ડસ્ટ્રી માટે વરદાન સાબિત થઇ શકે છે.

ભારતીય આઇટી કંપની પાસે ઉત્પાદકતા વધારવાની તક - અંબાણી
મુંબઇમાં નેસકૉમ ઇન્ડિયા લીડરશિપ ફોરમ દરમિયાન અંબાણીએ ટ્રંપ અંગે પોતાના વિચારો લોકો સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે, ટ્રંપ ભારત માટે ઉત્કૃષ્ટ સાબિત થઇ શકે છે. તેમના અનુસાર ટ્રંપ ભારતના કૌશલ્ય અને આઇટી ઇન્ડસ્ટ્રીને ભારતમાં પોતાની સમસ્યાઓ દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરશે. અહીં ઘરેલૂ બજાર ઘણી મોટી છે અને ટ્રંપને કારણે લોકોને પોતાની જીવનશૈલી વધુ સારી બનાવવાની તથા ઇન્ડસ્ટ્રીની ઉત્પાદકતા વધારવાની તક મળી શકે છે.
સૌથી રોચક ઇન્ડસ્ટ્રીમાંની એક છે આઇટી ઇન્ડસ્ટ્રી - એન.ચંદ્રશેખરન
મુકેશ અંબાણીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ભારતીય આઇટી કંપનીઓમાં એચ-1બી વિઝા અંગેના ટ્રંપના વલણને કારણે ઘભરાટ પેંઠો છે. ટાટા સન્સના અસ્થાયી ચેરમેન એન.ચંદ્રશેખરને કહ્યું કે, દરેક વખતે ક્યાં તો કોઇ વસ્તુમાં પરિવર્તન આવે છે અને ક્યાં તો કોઇ નવો પડકાર સામે આવે છે. પછી એ એચ-1બી વિઝા હોય કે પછી વિઝાની ફીમાં વધારો હોય, લોકો હંમેશા વાતો કરવા માંડે છે કે આઇટી ઇન્ડસ્ટ્રી જોખમમાં છે. તેમણે કહ્યું કે, આઇટી ઇન્ડસ્ટ્રી સૌથી રોચક ઇન્ડસ્ટ્રીમાંની એક છે.
વિદેશ સચિવે પણ કરી ટ્રંપ પર ટિપ્પણી
આ પહેલાં ભારતના વિદેશ સચિવ એસ.જયશંકરે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. જયશંકરે કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપથી ડરવાની જગ્યાએ તેમની રાજનીતિ અને તેના પ્રભાવોને સમજવા વધુ ઉપયોગી સાબિત થશે. તેમણે કહ્યું હતું કે, ટ્રંપના એક્શન કદાચ એ કંપનીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરનારા હશે, જેણે ટેક્સની ચોરી કરી હોય. તેમનું માનવું છે કે, ભારતીય કંપનીઓએ વધુ ડરવાની જરૂર નથી, કારણ કે તેમણે અમેરિકામાં સર્જનાત્મક કામ તો કર્યું જ છે અને સાથે ટેક્સ અને રોજગારના ક્ષેત્રે પણ તેઓ સાચા રસ્તે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
