સંસદમાં હંગામાના કારણે ટેક્સપેયરના 130 કરોડથી વધારે બરબાદ, 107ની જગ્યાએ ફક્ત 18 કલાક થયું કામ
સંસદના ચોમાસુ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા પેગાસસ નામનો અહેવાલ બહાર આવ્યો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે દેશના ઘણા મોટા પત્રકારો, રાજકારણીઓ વગેરેના ફોનની જાસૂસી કરવામાં આવી હતી. આ અંગે સંસદના બંને ગૃહોમાં સતત હંગામ
સંસદના ચોમાસુ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા પેગાસસ નામનો અહેવાલ બહાર આવ્યો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે દેશના ઘણા મોટા પત્રકારો, રાજકારણીઓ વગેરેના ફોનની જાસૂસી કરવામાં આવી હતી. આ અંગે સંસદના બંને ગૃહોમાં સતત હંગામો ચાલી રહ્યો છે. જો કે સાંસદો દરરોજ ગૃહમાં હંગામો મચાવે છે, પરંતુ તેમની હરકતને કારણે અત્યાર સુધીમાં 130 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

એનડીટીવીએ સરકારી સૂત્રોને ટાંકીને કહ્યું કે જ્યારે સંસદમાં કોઈ મુદ્દે મડાગાંઠ હોય ત્યારે લોકસભા શક્ય 54 માંથી માત્ર 7 કલાક કામ કરે છે, જ્યારે રાજ્યસભા શક્ય 53 માંથી 11 કલાક કામ કરે છે. અત્યાર સુધી વર્તમાન ચોમાસુ સત્રમાં સંસદમાં 107 કલાક કામ થવાનું હતું, પરંતુ માત્ર 18 કલાક કામ થયું. આવી સ્થિતિમાં 89 કલાકનો સમય સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો. આનો અર્થ એ થયો કે કરદાતાઓને કુલ 130 કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયુ છે.
પીએમ એ જતાવી નારાજગી
તાજેતરમાં જ પીએમ મોદીએ કોંગ્રેસ અને વિપક્ષ વચ્ચેના હોબાળા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપની સંસદીય દળની બેઠકમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ ન તો ગૃહને કામ કરવા દે છે, ન તો તે ચર્ચાની મંજૂરી આપે છે. હું 15 ઓગસ્ટે જનતાને સંબોધતી વખતે આ બધી વાતો જણાવીશ.
તપાસની માંગને લઇ બવાલ
જ્યારથી પેગાસસ કેસ પ્રકાશમાં આવ્યો છે, વિપક્ષી પાર્ટીઓ તેની તપાસની માંગ કરી રહી છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, પેગાસસ બનાવનારી કંપનીએ કહ્યું છે કે તે માત્ર સરકારને પોતાનું સોફ્ટવેર આપે છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે ભારત સરકારે જાસૂસી કરી હતી. જો કોઈ અન્ય જાસૂસી કરી રહ્યું છે, તો તે વધુ ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં સંયુક્ત સંસદીય સમિતિ અથવા સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તેની તપાસ થવી જોઈએ. જોકે સરકારે તમામ આરોપોને નકારતા તપાસ કરવાનો ઇનકાર કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં










Click it and Unblock the Notifications
