OBC આરક્ષણ માટે મોદી સરકાર લાવી શકે નવી ફોર્મ્યૂલા
OBC આરક્ષણ માટે મોદી સરકાર લાવી શકે નવી ફોર્મ્યૂલા
નવી દિલ્હીઃ મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળ પહેલા 100 દિવસમાં ઓબીસી આરક્ષણ પર મોટો ફેસલો લઈ શકે છે. મોદી સરકાર નવા ફોર્મ્યુલા અંતર્ગત અતિ પછાત વર્ગને મળનાર 27 ટકા આરક્ષણને ત્રણ ભાગમાં વહેંચી શકે છે. એક રિપોર્ટ મુજબ આ સંબંધિત પેનલમાં તેને લઈ કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયને ભલામણ કરવામાં આવી છે. જો તેઓ આને મંજૂરી આપી દે છે તો ઓબીસી આરક્ષણમાં તેના મોટા બદલાવ જોવા મળશે.

ઓબીસી રિઝર્વેશન પર નવી ફોર્મ્યુલા
અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઈમ્સમાં છપાયેલ એક રિપોર્ટ મુજબ દેશમાં આ સમયે 2633 ઓબીસી જાતિઓ છે. પેનલે પોતાની રિપોર્ટમાં આ ભલામણ કરી છે કે ઓબીસી જાતિઓમાં જે જાતિઓને આરક્ષણનો બિલકુલ લાભ નથી મળ્યો, તેમના માટે દસ ટકા આરક્ષણ સુનિશ્ચિત કરવામાં આવવું જોઈએ. જ્યારે ઓબીસી ક્વોટા અંતર્ગત જે જાતઓને થોડોઘણો આરક્ષણનો લાભ મળ્યો છે તેમને પણ સાત ટકા આરક્ષણ મળવું જોઈએ.

10 જાતિઓને આરક્ષણનો વધુ લાભ મળ્યો
પેનલે પોતાની રિપોર્ટમાં જણાવ્યું કે ઓબીસી કેટેગરીમાં માત્ર દસ ઉપજાતિઓેને 27માંથી 25 ટકા આરક્ષણનો લાભ મળ્યો છે. ઓબીસીમાં 983 એવી જાતિઓ છે જેમને આરક્ષણનો લાભ ન બરાબર મળ્યો છે. પેલ આ સંબંધમાં પોતાની રિપોર્ટમાં અંતિમ રૂપ આપી રહી છે. આ પેનલના અધ્યક્ષ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ જી રોહિણી છે. તેમણે જણાવ્યું કે 31 જુલાઈ પહેલા અમે ગૃહમંત્રાલયને રિપોર્ટ સોંપી દેશું.

રિપોર્ટ જોયા બાદ અંતિમ ફેસલો લેશે
પેનલની આ ભલામણ વિશે જ્યારે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારી મંત્રી થાવરચંદ ગહલોતનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે પહેલા તેમને રિપોર્ટ જમા કરવા દો. બાદમાં અમે જોશું કે ઓબીસી જાતિઓનું ઉપ-વર્ગિકરણ કેવી રીતે કરવું. ઉલ્લેખનીય છે કે પેનલે 1931થી પહેલાની જાતિગત વસ્તી ગણતરીના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વર્ષ 2021માં થનાર વસ્તી ગણતરીમાં 90 વર્ષ બાદ ઓબીસીની ગણતરી કરવામાં આવશે. સંવિધાનના શરૂઆતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જેમ ઓબીસી જાતિઓ માટે આરક્ષણ લાગૂ નહોતું. 1979માં સ્થાપિત મંડળ કમીશન બન્યું હતું. જેની ભલામણના આધારે વર્ષ 1990માં ઓબીસી જાતિઓ માટે 27 ટકા આરક્ષણ લાગૂ કરવામાં આવ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
