દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ 'આયુષ્માન ભારત'નું PM મોદીએ ઉદ્ઘાટન કર્યું
દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ 'આયુષ્માન ભારત'નું PM મોદીએ ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દુનિયાની સૌથી મોટા ગવર્નમેન્ટ ફંડેડ હેલ્થકેર પ્રોગ્રામ 'આયુષ્માન ભારત' લૉન્ચ કરી છે જેના લાભાર્થીઓ અંદાજીત 50 કરોડ ભારતીયો છે. હવે આ યોજના અંતર્ગત દેશભરના તમામ નાગરિકોને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ગવર્નર લાલજી ટંડન સાથે આઈટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદ પણ હાજર રહ્યા હતા.

લૉન્ચ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાનને લોકો દ્વારા 'મોદીકેર' સહિતના નામ આપવામાં આવી રહ્યાં છે પણ તેમના માટે ગરીબોની સેવા કરવાનો આ મોકો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે વિશ્વમાં એકેય દેશ પાસે આયુષ્માન ભારત જેવી સ્કીમ નથી. આયુષ્માન ભારત સ્કીમના ઉદ્ઘાટન વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સ્કીમ દ્વારા 50 કરોડથી વધુ ભારતીયોને લાભ આપવામાં આવશે. કહ્યું કે 'મને પૂરો વિશ્વાસ છે કે આગામી દિવસોમાં મેડિકલ ફિલ્ડમાં કામ કરતા લોકો આજે શરૂ કરવામાં આવેલ આ યોજનાના આધારે નવી હેલ્થ સ્કીમ લઈને આવશે.'
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે આયુષ્માન ભારત વિશ્વની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ છે, જેના લાભાર્થીઓની સંખ્યા યૂએસ, કેનેડા અને મેક્સિકો કરતા પણ વધુ છે. જણાવી દઈએ કે સ્વતંત્ર દિવસની સ્પીચ દરમિયાન લાલ કિલ્લેથી પીએમ મોદીએ આ સ્કીમ લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. ઝારખંડના કેપિટલ રાંચીથી પીએમ મોદીએ સ્કીમની શરૂઆત કરી.
આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય આર્થિક પછાત પરિવારોને 5 લાખથી 10 કરોડ રૂપિયા સુધીનું કવર પૂરું પાડી પીએમ મોદી સુલભ અને સસ્તું હેલ્થકેર બનાવવાનો છે. રવિવારે લૉન્ચ થયા બાદ 31 રાજ્યો સહિતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ આ સ્કીમ લાગુ કરવામાં આવશે. નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે કહ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિના દિવસે એટલે કે 25મી સપ્ટેમ્બરથી આ સ્કીમ કાર્યરત કરવામાં આવશે.
આ પણ વાંચો- શહીદની પત્નીએ જોઈન કરી આર્મી, બન્યાં લેફ્ટનન્ટ
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
