Modi Cabinet Resuffle: આ 43 નેતાઓને કેન્દ્રીય કેબિનેટમાં જગ્યા મળી, ગુજરાતીઓનો દબદબો વધશે
Modi Cabinet Resuffle: આ 43 નેતાઓને કેન્દ્રીય કેબિનેટમાં જગ્યા મળી, ગુજરાતીઓનો દબદબો વધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં 43 નવા નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે. આજે સાંજે 6 વાગ્યે આ 43 નેતાઓ શપથ લેશે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, પશુપતિ કુમાર પારસ, ભૂપેંદર યાદવ અનુપ્રિયા પટેલ, શોભા કરાંડલાજે, મીનાક્ષી લેખી, અજય ભટ્ટ અને અનુરાગ ઠાકુર વગેરે નામ સામેલ છે.

11 મંત્રીઓના રાજીનામાં લઈ લીધાં
કેબિનેટ વિસ્તરણ પહેલાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન સહિત ડઝનેક મંત્રીઓના રાજીનામાં લઈ લેવાયાં છે. મંત્રીમંડળથી રાજીનામું આપનાર મંત્રિઓમાં નિશંક અને હર્ષવર્ધન ઉપરાંત સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌધરી, મહિલા બાળ વિકાસ મંત્રી દેબોશ્રી ચૌધરી, રસાયણ અને ખાતર મંત્રી સદાનંદ ગૌડા, શ્રમ રાજ્ય મંત્રી સંતોષ ગંગવાર, શિક્ષણ રાજ્ય મંત્રી સંજય ધોત્રે, બાબુલ સુપ્રિયો, પ્રતાપ સારંગી અને રતન લાલ કટારિયાના રાજીનામાં પણ લઈ લીધાં છે. મંગળવારે કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતે પણ રાજીનામું આપી દીધું હતું અને તેમને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
આ 43 નેતા શપથ લેશે
- નારાયણ રાણે
- સરબાનંદ સોનોવાલ
- વિરેન્દ્ર કુમારજ્યોતિરાદિત્ય સિંધિયા
- રામચંદ્ર પ્રસાદ સિંહ
- અશ્વિની વૈશ્ણવ
- પશુ પતિ કુમાર પારસ
- કિરણ રિજિજુ
- રાજ કુમાર સિંહ
- હરદીપ સિંહ પુરી
- મનસુખ માંડવિયા
- ભૂપેન્દ્ર યાદવ
- પરશોત્તમ રૂપાલા
- જી કિશન રેડ્ડી
- અનુરાગ સિંહ ઠાકુર
- પંકજ ચૌધરી
- અનુપ્રિયા સિંહ પટેલ
- સત્ય પાલ સિંહ બાઘેલ
- રાજીવ ચંદ્રશેખર
- સુશ્રી શોભા
- ભાનુ પ્રતાપ સિંહ વર્મા
- દર્શના વિક્રમ જરદોશ
- મીનાક્ષી લેખી
- અનુપુર્મા દેવી
- એ નારાયણસ્વામી
- કૌશલ કિશોર
- અજય ભટ્ટ
- બીએલ વર્મા
- અજય કુમાર
- ચૌહાણ દેવુસિંહ
- ભગવંત ખુબા
- કપિલ મોરેશ્વર પાટિલ
- પ્રતિમા ભૌમિક
- સુભાસ સરકાર
- ભગવત કિશનરાવ કારડરાજકુમાર રંજન સિંહ
- ભારતી પ્રવિણ પવાર
- બિશ્વેસ્વર તુડુ
- શાંતનુ ઠાકુર
- મુંજપરા મહેન્દ્રભાઈ
- જોહ્ન બારલા
- એલ મુરુગન
- નિસિથ પ્રમાણિક
ચૂંટણીને લઈ વિસ્તરણ કરાયુંઃ ખડગે
કેબિનેટ વિસ્તરણને લઈ કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કેટલાક દલિતો અને પછાત જાતીના સભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર આવું કરી રહી છે. લોકોને ભટકાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકાર સમુદાયોના હિત માટે નહી બલકે પોતાના હિત માટે કેબિનેટનું વિસ્તરણ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
