આસારામ આશ્રમમાંથી 27 વર્ષીય યુવક ગુમ, હૈદરાબાદથી અમદાવાદ આવ્યો હતો!
શિષ્યાનું યૌન શોષણ કરવા બદલ આજીવન કેદની સજા ભોગવી રહેલા કથાકાર આસારામના આશ્રમમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આસારામના આશ્રમમાંથી 27 વર્ષીય યુવક ગુમ થયો છે.
અમદાવાદ : શિષ્યાનું યૌન શોષણ કરવા બદલ આજીવન કેદની સજા ભોગવી રહેલા કથાકાર આસારામના આશ્રમમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આસારામના આશ્રમમાંથી 27 વર્ષીય યુવક ગુમ થયો છે. છોકરો 3 નવેમ્બરે હૈદરાબાદથી આવ્યો હતો. સાથે તેના કેટલાક મિત્રો પણ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો પરત ફર્યા હતા પરંતુ આ યુવક પરત આવી શક્યો ન હતો. ઘણા દિવસો સુધી કોઈ સારા સમાચાર ન મળતાં માતા-પિતા તેની શોધમાં અમદાવાદ પહોંચ્યા હતા. જો કે તે ત્યાં પણ મળ્યો ન હતો.

જ્યારે માતા-પિતાએ આસારામના કર્મચારીઓની પૂછપરછ કરી તો તેઓએ કોઈ માહિતી આપી ન હતી. જે બાદ યુવક ગુમ થયાનું સામે આવ્યું હતું. જે બાદ તેના માતા-પિતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આસારામના આશ્રમમાંથી યુવક ગુમ થવાનો આ પહેલો કિસ્સો નથી. વર્ષ 2008માં આ જ આશ્રમમાંથી દીપેશ અને અભિષેક નામના બે ભાઈઓ પણ ગુમ થયા હતા. પોલીસે શોધખોળ શરૂ કરી તો થોડા દિવસો પછી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. નોંધનીય છે કે બંને આશ્રમના ગુરુકુળમાં અભ્યાસ કરતા હતા. તત્કાલીન પોલીસ કમિશનર ડી.કે. ત્રિવેદીના રિપોર્ટના આધારે સરકારે આરોપોની તપાસના આદેશ આપ્યા હતા. આ ઘટના બાદ આશ્રમમાં બાળકોને તંત્ર-મંત્ર માટે બલિ ચઢાવવામાં આવી હોવાની ચર્ચા ચાલી હતી. જો કે બાદમાં મામલો ઠંડો પડી ગયો હતો.
આસારામ આ દિવસોમાં જેલમાં છે અને તેનો પુત્ર નારાયણ સાંઈ પણ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. આસારામે એક યુવતા સાથે ગંદી હરકતો કરી હતી, ત્યારબાદ યુવતીની બહેને આસારામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આસારામની સપ્ટેમ્બર 2013માં ધરપકડ કરવામાં આવી હતી. તે પહેલા આસારામે ભાગવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. તેમના સમર્થકોએ ક્યારેક ઈન્દોરમાં તો ક્યારેક જોધપુરમાં તો ક્યારેક શાહજહાંપુરમાં પીડિત પક્ષને ધમકી આપી હતી. બાદમાં જ્યારે પોલીસે આસારામને પકડ્યો ત્યારે સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. આસારામ લગભગ 10 હજાર કરોડના સામ્રાજ્યનો માલિક છે. તે કથાકાર સંત તરીકે ઓળખાતો હતો. જો કે તેના અન્ય ઘણા ધંધાઓ પણ ચાલુ હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
