યૌન શોષણના આરોપોથી ઘેરાયેલ એમજે અકબરની તપાસ થવી જોઈએઃ મેનકા ગાંધી
મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કેન્દ્રીય મંત્રી એમજે અકબર ઉપર લાગેલા યૌન શોષણના આરોપો પર કહ્યુ કે તેમની સામે તપાસ થવી જોઈએ.
મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કેન્દ્રીય મંત્રી એમજે અકબર ઉપર લાગેલા યૌન શોષણના આરોપો પર કહ્યુ કે તેમની સામે તપાસ થવી જોઈએ. ગાંધીએ કહ્યુ કે એમજે અકબરની તપાસ થવી જોઈએ. ઉંચા હોદ્દા પર બેઠેલા પુરુષો હંમેશા આવુ કરે છે. મેનકા ગાંધી પહેલી ભાજપ નેતા છે જેમણે પૂર્વ પત્રકાર અને વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબર અંગે નિવેદન આપ્યુ છે. એમજે અકબર પર અમુક મહિલા પત્રકારોએ #MeToo આંદોલન હેઠળ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

મેનકા ગાંધીએ કહ્યુ, ‘તપાસ થવી જોઈએ'
મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ એમજે અકબર પર નિવેદન આપ્યુ છે. ગાંધીએ કહ્યુ, ‘તપાસ થવી જોઈએ. ઉંચા હોદ્દા પર બેઠેલા પુરુષો હંમેશા આવુ કરતા હોય છે. આ કંપનીઓમાં કામ કરતા મીડિયા, રાજકારણ અને વરિષ્ઠ નાગરિકો પર લાગુ થાય છે. હવે જ્યારે મહિલાઓએ વાત કરવાનું શરૂ કરી દીધુ છે તો આપણે તેને ગંભીરતાથી લેવુ જોઈએ.' મેનકા ગાંધીએ આગળ કહ્યુ કે મહિલાઓ પહેલા આવી વાત કરતા ડરતી હતી.

એમજે અકબર પર ચૂપ રહ્યા સુષ્મા સ્વરાજ
‘મહિલાઓ બોલવાથી ડરતી હતી કારણકે તેમને લાગતુ હતુ કે લોકો તેમની મજાક ઉડાવશે અથવા તેમના કેરેક્ટર પર સવાલ ઉઠાવશે. હવે જ્યારે તેમણે બોલવાનું શરૂ કરી દીધુ છે તો આપણે તેમના આરોપોને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરવી જોઈએ.' એક તરફ મેનકા ગાંધીએ એમજે અકબર સામે તપાસ માટે કહ્યુ ત્યાં બીજી તરફ સુષ્મા સ્વરાજને પૂછવામાં આવ્યુ તો તેમણે આ અંગે કંઈ પણ બોલવાનો ઈનકાર કરી દીધો. મંગળવારે બપોરે જ્યારે સુષ્મા સ્વરાજને આ મામલે પ્રતિક્રિયા માંગી તો તે કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી જતા રહ્યા.

પોતાના પર લાગેલા આરોપો પર ચૂપ છે અકબર
વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબરના ઉપર ઘણી મહિલા પત્રકારોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. પત્રકારોનું કહેવુ છે કે અકબર હોટલના રૂમમાં તેમનો ઈન્ટરવ્યુ લેતા હતા. જ્યાં તેમને શરાબ અને બેડ પર બેસવાની રજૂઆત કરવામાં આવતી હતી. મહિલા પત્રકારોએ અકબરના વ્યવહારને વાંધાજનક ગણાવતા કહ્યુ કે ન્યૂઝરૂમમાં પણ તેમનો વ્યવહાર અયોગ્ય રહેતો હતો. અકબરે હજુ સુધી પોતાના પર લાગેલા આરોપો પર કોઈ સ્પષ્ટતા આપી નથી. વળી, ભાજપ સાંસદ ઉદિત રાજે તેમનો બચાવ કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
