માયાવતીએ સપા સાથે ગઠબંધન તોડ્યુ, પેટાચૂંટણી એકલા લડવાનું એલાન
બસપા પ્રમુખ માયાવતીએ સપાથી અલગ થવાનું એલાન કર્યુ છે. બસપા ઉત્તર પ્રદેશમાં 11 વિધાનસભા સીટો માટે યોજાનારી પેટાચૂંટણીમાં એકલા લડશે.
બસપા પ્રમુખ માયાવતીએ સપાથી અલગ થવાનું એલાન કર્યુ છે. બસપા ઉત્તર પ્રદેશમાં 11 વિધાનસભા સીટો માટે યોજાનારી પેટાચૂંટણીમાં એકલા લડશે. મંગળવારે પ્રેસ કોન્ફરન્સ યોજીની માયાવતીએ કહ્યુ, 'લોકસભા ચૂંટણીમાં સપા અને બસપા ગઠબંધન કરીને સાથે લડ્યા પરંતુ પરિણામો અપેક્ષા મુજબ ન આવ્યા. સપાના મતદારો એટલે કે યાદવ સપા સાથે ટક્યા નહિ અને ઘાત કરીને ભાજપમાં ટ્રાન્સફર થયા. એટલે ઉત્તર પ્રદેશમાં બસપાએ એકલા જ પેટાચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.'

યાદવ સપા સાથે નથી
ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ માયાવતીએ કહ્યુ કે યાદવ મતો સપા સાથે નથી રહ્યા. ત્યાં સુધી કે અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ અને તેમના પરિવારના સભ્ય ધર્મેન્દ્ર યાદવ અને અક્ષય યાદવ પણ હારી ગયા. એવામાં જ્યારે યાદવ મત સપાને જ મત નથી આપી રહ્યા તો અમને કેવી રીતે ટ્રાન્સફર થતા. માયાવતીએ કહ્યુ કે સોમવારે દિલ્લીમાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક બાદ તેમણે નિર્ણય કર્યો કે અલગ થઈને ચૂંટણી લડવામાં આવે. ઉત્તર પ્રદેશમાં 11 વિધાનસભા સીટો, ધારાસભ્યોના સાંસદ ચૂંટાયા બાદ ખાલી થઈ છે.

સંબંધ સંપૂર્ણપણે ખતમ નથી પરંતુ..
માયાવતીએ સપાથી અલગ થવાની વાત તો કહી પરંતુ સાથે કહ્યુ કે અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલે તેમનુ ખૂબ માન્યુ છે અને બહુ સમ્માન આપ્યુ છે. તેમની સાથે સંબંધ જળવાઈ રહેશે પરંતુ રાજકારણની પોતાની જરૂરિયાતો છે. સાથે તેમણે કહ્યુ કે સપા સાથે સંબંધ સંપૂર્ણપણે ખતમ નથી થયો પરંતુ સપાને હજુ બહુ મહેનત કરવાની જરૂર છે. જો ભવિષ્યમાં સપા સાથે તેમના મત જોડાયા તો અમે સંબંધ આગળ વધારી શકીશુ.

ગઠબંધનને લોકસભા ચૂંટણીમાં મળી હાર
તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં સપા, બસપા અને રાલોદ વચ્ચે ગઠબંધન થયુ હતુ. બસપાને 38, સપાને 37 અને રાલોદે ત્રણ સીટો પર ચૂંટણી લડી પરંતુ ત્રણે પક્ષો મળીને 15 સીટો જ જીતી શક્યા. બસપા 10 સીટો પર જ જીતી શકી જ્યારે સપાને માત્ર 5 સીટો મળી. ભાજપને 62 સીટો પર જીત મળી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
